
– જાણ બહાર જ લાખો મતદારોના નામ યાદીમાંથી કમી કરાયા : સુપ્રીમમાં દાવો
– બિહારમાં જે મતદારોએ અપીલ નથી કરી તેમના નામ કમી કરાયા : પંચ નામ કમી કરાયું હોવાની જાણ જ નથી તો અપીલ ક્યાંથી કરે ? : સિંઘવી
નવી દિલ્હી : બિહારમાં ચૂંટણી પંચ દ્વારા મતદારોનું વેરિફિકેશન કરાયું હતું, આ સમગ્ર પ્રક્રિયાના અંતે ચૂંટણી પંચે આશરે ૩.૬૬ લાખ મતદારોની યાદીમાંથી બાદબાકી કરી નાખી છે. હવે સુપ્રીમ કોર્ટે ચૂંટણી પંચને આ તમામ બાદબાકી કરાયેલા મતદારોની વિગતો સોંપવાનો આદેશ કર્યો છે. સુપ્રીમમાં અરજદારોનો દાવો હતો કે લાખો લોકોના નામ તેમને જાણ કર્યા વગર જ કમી કરી નખાયા છે.










