![]()
– ‘આયુષ્યમાન ભવઃ’ સર ટી. હોસ્પિટલમાં છેલ્લા 9 માસમાં
– જાન્યુઆરીથી સપ્ટેમ્બરના 9 મહિનાના સમયગાળામાં કુલ 9984 દર્દીઓએ અલગ-અલગ વિભાગમાં સારવાર લીધી
ભાવનગર : ભાવનગરની સર ટી. હોસ્પિટલમાં આયુષ્યમાન કાર્ડ યોજના હેઠળ છેલ્લા ૯ માસના સમયગાળામાં દરરોજ સરેરાશ ૩૬ દર્દીઓએ એડમિટ થઈને સારવાર મેળવી છે. જ્યારે આ યોજના હેઠળ દરરોજ સરેરાશ ૪ સર્જરી કરવામાં આવી છે. જાન્યુઆરીથી સપ્ટેમ્બરના ૯ મહિનાના સમયગાળામાં કુલ ૯૯૮૪ દર્દીઓએ આ યોજના હેઠળ અલગ-અલગ વિભાગમાં સારવાર મેળવી છે.
ભાવનગરની સર ટી.હોસ્પિટલમાં આયુષ્યમાન કાર્ડ યોજના હેઠળ ચાલુ વર્ષ ૨૦૨૫ના જાન્યુઆરીથી સપ્ટેમ્બર માસના ૯ મહિનાના સમયગાળામાં દરરોજ સરેરાશ ૩૬ દર્દીઓએ હોસ્પિટલના અલગ-અલગ વિભાગોમાં એડમિટ થઈને સારવાર મેળવી છે. આ ૯ મહિનાના સમયગાળામાં કુલ ૯૯૮૪ દર્દીઓએ આ યોજના હેઠળ હોસ્પિટલમાં સારવાર મેળવી છે. જેમાં આ યોજના હેઠળ સૌથી વધારે સપ્ટેમ્બર મહિનામાં ૧૪૪૬ દર્દીઓ અને સૌથી ઓછા ફેબુ્રઆરી મહિનામાં ૭૮૧ દર્દીઓએ સારવાર મેળવી છે. જેમાંથઈ આ નવ મહિનાના સમયગાળા દરમિયાન હોસ્પિટલમાં દરરોજ સરેરાશ ૪ લેખે કુલ ૧૨૨૫ સર્જીરીઓ કરવામાં આવી છે. જેમાં સૌથી વધુ સપ્ટેમ્બર મહિનામાં ૨૦૬ દર્દીઓની સર્જીરી તથા સૌથી ઓછી એપ્રીલ મહિનામાં ૧૦૦ દર્દીઓની સર્જરી થઈ છે. આયુષ્યમાન યોજના હેઠળ લાભાર્થીઓના આંકડાઓ જોતા છેલ્લા પાંચ મહિનામાં ઓગસ્ટ માસને બાદ કરતા બાકીના ચાર મહિનામાં આ યોજના હેઠળ લાભ લેતા દર્દીઓની સંખ્યા વધી રહી છે અને વર્ષ-૨૦૨૫ના અંત સુધીમાં આ આંકડો ૧૧ કે ૧૨ હજાર દર્દીઓ સુધી પહોંચવાની સંભાવના છે.
આયુષ્યમાન યોજના હેઠળ સારવાર મેળવેલા દર્દીઓ અને સર્જરી
|
મહિનો |
દર્દી |
સર્જરી |
|
જાન્યુઆરી |
૯૬૩ |
૧૨૪ |
|
ફેબુ્રઆરી |
૭૮૧ |
૧૧૨ |
|
માર્ચ |
૧૦૪૯ |
૧૨૧ |
|
એપ્રીલ |
૯૮૯ |
૧૦૦ |
|
મે |
૧૧૧૭ |
૧૧૬ |
|
જુન |
૧૧૭૫ |
૧૩૨ |
|
જુલાઈ |
૧૨૪૨ |
૧૬૩ |
|
ઓગસ્ટ |
૧૨૨૨ |
૧૫૧ |
|
સપ્ટેમ્બર |
૧૪૪૬ |
૨૦૬ |
|
કુલ |
૯૯૮૪ |
૧૨૨૫ |










