![]()
નડિયાદ શહેરમાં વ્યાજખોરો બેફામ બન્યાં
ચાર મોટર સાઇકલ પડાવી લીધા : જાનથી મારી નાખવાની ધમકી આપનાર બે વ્યકિત સામે ફરિયાદ નોંધાઇ
નડિયાદ: ખેડાના નડિયાદ શહેરના શખ્સે ધંધા માટે ૨.૫૯ લાખ રૂપિયા વ્યાજે લીધા હતા. ૨.૫૯ લાખની સામે ૧૫.૯૪ લાખ વ્યાજ સહિત ચૂકવી દીધા છતાં આરોપીઓએ વધુ દસ લાખની માગણી કરીને ધમકી આપી હતી. તેમજ ચાર વાહનો પડાવી લીધા હતા. આ મામલે બે આરોપી સામે નડિયાદ ટાઉન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઇ છે.
નડિયાદ શહેરના શાહીલ રજ્જાભાઇ શાભાઇ વાહન લે-વેચની દલાલી કરે છે. ૨૦૨૪ના જાન્યુઆરી મહિનામાં ધંધાના કામથી રૂપિયાની જરૂર પડતા શાહીલે આરોપી અબ્દુલસત્તાર ચકાવાલ અને રફીક ચકાવાલા પાસેથી ૨.૫૯ લાખ વ્યાજે લીધા હતા. આ રકમ ૨૫ ટકાના વ્યાજ દરે આપવામાં આવી હતી. જેમાં શરૂઆતના તબક્કે ૨૫ હજાર વ્યાજના કાપી લેવાયા હતા. આ રીતે શાહીલે ૨.૮૦ લાખ વ્યાજે લીધા હતા. આરોપીઓએ રકમ પોતાના દીકરા રફી, પત્ની સાયના ચકાવાલાના બેેંક ખાતા અને અન્ય યાસીન નામના વ્યકિતના ખાતામાં તબક્કાવાર ખાતામાં જમા કરાવી હતી.
શાહીલ રજ્જા શાભાઇએઆરોપીઓને વ્યાજ સહિત ૧૫.૯૪ લાખ રૂપિયા ચૂકવી દીધા છતાં આરોપીએ વ્યાજ પેટે ૪ બાઇખ પણ પડાવી લીધી હતી. શાહીલ પાસેથી આરોપીઓએ ૧૦ લાખની માગણી કરી હતી અને રૂપિયા ન આપે તો જાનથી મારી નાખવાની ધણકી આપી હતી. હી કરેલો બેંક ઓફ ઇન્ડિયાના બે કોરા ચેક અને કોટક મહિન્દ્રા બેંકનો એક કોરો ચેક આરોપી પાસે છે.
આરોપીઓએ બે ચેકમાં ૧૨.૫૦ લાખ અને એક લાખની રકમ ભરીને બેંકમાં જમા કરાવ્યા હતા. જે બાઉન્સ થયા હતા. આ બાબતે પણ આરોપીઓએ ફરિયાદી સામે કોર્ટમાં કેસ કરવાની ધમકી આપી હતી. ફરિયાદીએ તેના મિત્ર મુકેશબાઇ દેવજી પરમારની હાજરમાં ધમકી આપી હોવાનું જણાવ્યું હતું. આ મામલે ટાઉન પોલીસ સ્ટેશનમાં શાહીલ રજ્જાકભાઈ શાભઈએ અબ્દુલસત્તાર ઉર્ફે મુન્નોે ઇબ્રાહીમભાઇ ચકાવાલા અને રફીક અબ્દુલસત્તાર ચકાવાલા વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે.










