![]()
Uttarakhand Earthquake : ઉત્તરાખંડના ઉત્તરકાશી જિલ્લામાં મંગળવાર (14 ઑક્ટોબર) સાંજે ભૂકંપના આંચકા અનુભવાયા હતા. માહિતી મુજબ, આ ભૂકંપની તીવ્રતા 3.6 મેગ્નિટ્યૂડ માપવામાં આવી છે. ભૂકંપના આંચકા સાંજે 7:30 વાગ્યે 10 સેકન્ડે આવ્યા હતા. ભૂકંપના આંચકા લાગતા જ લોકો પોતાના ઘરો અને દુકાનોની બહાર નીકળી આવ્યા હતા.
ઉત્તરકાશી ભૂકંપીય દૃષ્ટિકોણથી સંવેદનશીલ
ભૂકંપનું કેન્દ્ર જમીનની અંદર 5 કિલોમીટરની ઊંડાઈએ હતું, જે 31.15 અક્ષાંશ અને 77.99 દેશાંતર પર સ્થિત હતું. ઓછી તીવ્રતાના કારણે આ આંચકાઓ જોરદાર નહોતા અને સદભાગ્યે કોઈ મોટા નુકસાનના સમાચાર નથી. જોકે, ઉત્તરકાશી વિસ્તારને ભૂકંપીય દૃષ્ટિકોણથી સંવેદનશીલ માનવામાં આવે છે.
આ પણ વાંચો : VIDEO : રાજસ્થાનમાં દોડતી બસમાં ભીષણ આગ, 10થી 12ના મોતની આશંકા, ફટાકડાના કારણે બની ઘટના
ઉત્તરકાશીમાં 1991માં આવ્યો હતો ભયાનક ભૂકંપ
ઉલ્લેખનીય છે કે, ઉત્તરકાશીમાં 20 ઑક્ટોબર-1991માં 6.6 મેગ્નિટ્યૂડનો ભૂકંપ આવ્યો હતો, જે ખૂબ જ વિનાશક હતો. આ ભૂકંપમાં ગઢવાલ હિમાલય ક્ષેત્રમાં ભારે નુકસાન થયું હતું, જેમાં 768 લોકો મૃત્યુ પામ્યા હતા, 5066 લોકો ઘાયલ થયા હતા અને 20,184 ઘરો સંપૂર્ણપણે તૂટી ગયા હતા.
આ પણ વાંચો : બિહારમાં NDAમાં બેઠક વહેંચણીમાં થશે ફેરફાર! બે પક્ષોને મનાવવા વધુ બેઠકો આપવાનો પ્લાન તૈયાર










