![]()
અમદાવાદ,ગુરુવાર,16
ઓકટોબર,2025
ભદ્ર પ્લાઝા પરિસરથી ત્રણ દરવાજા સુધી ફેરીયા અને
પાથરણાંવાળાઓને લઈ ગુજરાત હાઈકોર્ટ દ્વારા વર્ષ-૨૦૧૪મા કરવામા આવેલી જાહેરહીતની
અરજી સંદર્ભમાં મહત્ત્વપૂર્ણ ચૂકાદો આપ્યો છે.કોર્ટ તરફથી કરાયેલા ઓર્ડરમાં ભદ્ર
પ્લાઝામા બેસતા ફેરીયા અને પાથરણાવાળાઓને લઈ ટ્રાફિકજામની પરિસ્થિતિ સર્જાય છે.આ
કારણથી ફાયર વિભાગના વાહન કે એમબ્યુલન્સને પસાર થવામા તકલીફ સહન કરવી પડે છે.હાઈકોર્ટ દ્વારા અન્ય
હુકમ ના થાય ત્યાં સુધી જાહેર રસ્તા કે ફૂટપાથ ઉપર ફેરીયાઓ બેસી શકશે નહીં.હાલ
દિવાળી પર્વ હોઈ કોર્ટે તદ્દન હંગામી ધોરણે ફેરીયાઓને નજીકમા આવેલા કોર્પોરેશનના
બે પ્લોટમા ખસેડવા કહયુ છે.
જમાલપુર વોર્ડમા આવેલા ભદ્ર પરિસર ખાતે સેવા અને સેલો એન.જી.ઓ.ના ફેરીયાઓને
બેસવા દેવાની બાબતમા ગુજરાત હાઈકોર્ટમાં વર્ષ-૨૦૧૪થી જાહેરહીતની અરજીની સુનવણી
ચાલતી આવતી હતી.ગુરૃવારે આ સંદર્ભમા સુનવણી હાથ ધરવામા આવી હતી. આ સમયેકોર્પોરેશન
તરફથી આપવામા આવેલી એફિડેવીટને કોર્ટે ગંભીરતાથી લીધી હતી. દિવાળીના તહેવાર ચાલી
રહયા હોઈ સેવા અને સેલો એન.જી.ઓ.ના ફેરીયાઓને તદ્દન હંગામી ધોરણે ધંધો કરવા માટે
ત્રણ દરવાજા પાસે આવેલા બે પ્લોટમાં જગ્યા ફાળવવાનુ કોર્પોરેશન તરફથી સુચવવામા
આવ્યુ હતુ.જેનો બંને એન.જી.ઓ.દ્વારા સ્વીકાર કરાયો હતો.ભદ્ર પ્લાઝાની અંદર બેસતા
બંને એન.જી.ઓ.ના ફેરીયાઓને ભદ્ર પ્લાઝાથી ૧૦૦ મીટર દુર આવેલ દાદાભાઈ નવરોજી
લાઈબ્રેરીની પાછળ વાળી જગ્યામા તથા પાનકોરનાકા,ત્રણ દરવાજા પાસે ઢાલગરવાડના ચોકઠાવાળી જગ્યામા ખસેડવામા આવશે.આવનારા સમયમાં મ્યુનિસિપલ
કોર્પોરેશનના એસ્ટેટ વિભાગ દ્વારા ભદ્ર
પ્લાઝા પરિસરમાં સઘન ચકાસણી કરાશે.
વર્ષ-૨૦૧૩માં ૩૬ કરોડના ખર્ચે ભદ્ર પ્લાઝા ડેવલપ કરાયુ હતુ
વર્ષ-૨૦૧૩માં
તત્કાલીન કેન્દ્રની યુ.પી.એ.સરકાર તરફથી ભદ્ર પરિસર આસપાસના વિસ્તારને
ભદ્રપ્લાઝા તરીકે ડેવલપ કરવા રુપિયા ૩૬ કરોડની ગ્રાન્ટ રાજય સરકારને અપાઈ હતી.રાજય
સરકાર પાસેથી આ ગ્રાન્ટ મેળવી ભદ્ર પ્લાઝા ડેવલપ કરાયુ હતુ.હાલ પ્લાઝા વિસ્તારમા
નાંખવામા આવેલા કિંમતી પથ્થરો પણ તૂટેલી હાલતમા જોવા મળી રહયા છે.










