
– વકીલોને સમન્સ માટે સુપ્રીમના દીશા-નિર્દેશ, ઈડીના બે સમન્સ રદ
– વકીલો પાસેથી ડિજિટલ ડિવાઈસીસ સંબંધિત અધિકાર ક્ષેત્રવાળી કોર્ટ સમક્ષ જ જપ્ત કરી અને ખોલી શકાશે : સુપ્રીમ
– એસપીની મંજૂરી વિના તપાસ અધિકારી વકીલોને સમન્સ પાઠવી શકે નહીં : સુપ્રીમ કોર્ટ
નવી દિલ્હી : એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ઈડી) દ્વારા આડેધડ આપવામાં આવતા સમન્સ પર નિયંત્રણ મૂકતા સુપ્રીમ કોર્ટે વકીલોને સમન્સ પાઠવવા મુદ્દે દિશા-નિર્દેશ જાહેર કર્યા છે. આ સાથે સુપ્રીમે ઈડીએ બે વકીલોને આપેલા સમન્સ રદ કરી દીધા હતા. મુખ્ય ન્યાયાધીશ ભૂષણ રામકૃષ્ણ ગવઈના અધ્યક્ષપદે બેન્ચે કહ્યું, ક્લાયન્ટને આપવામાં આવતી સલાહ માટે ઈડી વકીલોને સમન્સ પાઠવી શકે નહીં.










