
શહેરના જેતલપુર ઓવરબ્રિજ નીચે રેલવે ગરનાળા પાસે આજે ભૂવો પડતા વાહનચાલકો અને રાહદારીઓ અટવાયા હતા. ઉપરથી બે ફૂટ જેટલી પહોળાઈ ધરાવતો આ ભુવો અંદરથી ૭ ફૂટ પહોળાઈ અને ૫ ફૂટ ઊંડાઈ ધરાવતો હતો. સામાજિક કાર્યકરે તંત્રની કામગીરી સામે સવાલો ઉઠાવી તાત્કાલિક બેરીકેડ મૂકવા અને વહેલી તકે સમારકામની માગ કરી હતી.