
– 100 ના સ્લેબમાં ભક્તોને મંદિરમાં મોકલવાની વ્યવસ્થા કરાઈ
– મંદિર બહાર મંગળા આરતી માટે આખી રાત દર્શનાર્થીઓનો જમાવડો : હોટેલો, ગેસ્ટહાઉસ હાઉસફૂલ : પદયાત્રીઓ ઓટલાઓ પર સૂવા મજબૂર
ડાકોર : કાર્તિકી પૂર્ણિમાએ ઠાકોરજી દ્વારકાથી યાત્રાધામ ડાકોર પધાર્યા હતા. ત્યારે બુધવારે કાર્તિકી પૂર્ણિમાનો ઉત્સવ ડાકોરના રણછોડરાય મંદિરમાં ધામધૂમથી ઉજવાયો હતો. દિવસ દરમિયાન ૫.૨૫ લાખ જેટલા ભક્તોએ ઠાકોજીના દર્શન કર્યા હતા.










