
Karnataka News: કર્ણાટકના નાયબ મુખ્યમંત્રી ડીકે શિવકુમારે “નવેમ્બર ક્રાંતિ” અંગેની અટકળોને ફગાવી દીધી હતી. તેમણે કહ્યું હતું કે ક્રાંતિ નવેમ્બર કે ડિસેમ્બરમાં નહીં, પરંતુ 2028માં થશે, જ્યારે કોંગ્રેસ સત્તામાં પાછી આવશે.
પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ શિવકુમારે કહ્યું કે, તેઓ પાર્ટીના ‘શિસ્તબદ્ધ સૈનિક’ છે અને મુખ્યમંત્રી સિદ્ધારમૈયા સાથે પાર્ટીના નિર્ણયોનું પાલન કરશે. તાજેતરમાં એવી અફવાઓ હતી કે કોંગ્રેસ સરકારના પાંચ વર્ષના કાર્યકાળ વચ્ચે મુખ્યમંત્રી બદલાઈ શકે છે, જેને કેટલાક ‘નવેમ્બર ક્રાંતિ’ કહી રહ્યા હતા.









