![]()
Bihar Election Result 2025: બિહાર વિધાનસભા ચૂંટણી 2025 માટે 6 નવેમ્બર(પહેલા તબક્કા) અને 11 નવેમ્બર(બીજા તબક્કા)નું મતદાન થયું હતું. આ વખતે બિહારમાં મતદાને તમામ રેકોર્ડ તોડી નાખ્યા. બંને તબક્કાનું મળીને સરેરાશ 67.13 ટકા મતદાન થયું હતું. ત્યારે હવે આજે(14 નવેમ્બર) બિહાર વિધાનસભા ચૂંટણીનું પરિણામ જાહેર થવા જઈ રહ્યું છે.
Bihar Election Result 2025 LIVE UPDATES :
મોટી બેઠકો પર શરૂઆતના વલણો
બિહાર વિધાનસભા ચૂંટણી માટે મત ગણતરી ચાલી રહી છે. ઘણી બેઠકો પરથી શરૂઆતના વલણો સામે આવ્યા છે. JDUના કોમલ સિંહ ગયાઘાટમાં આગળ છે. JDUના મનીષ કુમાર ધોરૈયામાં આગળ છે. દાનાપુરમાં ભાજપના રામકૃપાલ આગળ છે. JDUના અભિષેક આનંદ ચેરિયા બરિયારપુરમાં આગળ છે. RJD ઉમેદવાર ખેસારી લાલ છાપરામાં આગળ છે. JDUના નચિકેતા જમાલપુરમાં આગળ છે.
150થી વધુ બેઠકના વલણ જાહેર
150થી વધુ બેઠકોના વલણ જાહેર થઈ ગયા છે. જેમાં એનડીએના ખાતામાં 86 અને મહાગઠબંધનના ખાતામાં 58 બેઠક આવી રહી છે. એનડીએમાં સૌથીવધુ 49 બેઠક પર ભાજપને લીડ મળી રહી છે ત્યારે જેડીયુના ખાતામાં 34 સીટ દેખાય છે. જ્યારે આરજેડીના ખાતામાં 46 અને કોંગ્રેસના ખાતામાં 7 બેઠક પર લીડ દેખાય છે.
100થી વધુ સીટના વલણ
એનડીએ ગઠબંધનના ખાતામાં 62 જ્યારે મહાગઠબંધનના ખાતામાં 42. ત્યારે અપક્ષના ખાતામાં 5 જેટલી બેઠકો આવી રહી છે. આ શરૂઆતના વલણો આધારિતી માહિતી છે.
AIMIM અને પ્રશાંત કિશોરની પાર્ટીનું ખાતું ખુલ્યું
અત્યાર સુધીના વલણો અનુસાર અસદુદ્દીન ઓવૈસીની પાર્ટી AIMIMનું પણ ખાતું ખુલી ગયું છે. જ્યારે પ્રશાંત કિશોરની જનસુરાજ પાર્ટી પણ મજબૂત પ્રદર્શન કરી રહી છે.
બિહાર વિધાનસભા ચૂંટણીના શરૂઆતના વલણો
એનડીએ ગઠબંધન 50 બેઠકો પર આગળ, જ્યારે મહાગઠબંધનને 30થી વધુ બેઠક પર લીડ, અપક્ષના ખાતામાં 5
NDAનું ખાતું ખુલ્યું, મહાગઠબંધન પાછળ
પોસ્ટલ બેલેટની ગણતરીના પરિણામ આવવાનું શરૂ થઈ ગયું છે. તેમાં એનડીએ તેમાં આગળ દેખાઈ રહી છે. અત્યાર સુધી તેના ખાતામાં 8 સીટ આવી ચૂકી છે. જ્યારે આરજેડીના ખાતામાં બે અને કોંગ્રેસના ખાતામાં એક બેઠક આવી રહી છે. ત્યારે પ્રશાંંત કિશોરની પાર્ટીના ખાતામાં બે બેઠક વલણોમાં આગળ છે.
મત ગણતરી શરૂ, સૌથી પહેલા પોસ્ટલ બેલેટ ગણાશે
મત ગણતરીની શરૂઆત થઈ ચૂકી છે. સૌથી પહેલા પોસ્ટલ બેલેટ ગણાશે પછી ઈવીએમના વોટ કાઉન્ટ થશે. નીતિશ-તેજસ્વીમાંથી કોણ બનશે સીએમ આજે થઈ જશે ફાઈનલ.
નીતિશ કુમારે પરિણામ અગાઉ પંડિત જવાહરલાલ નેહરુને યાદ કર્યા
નીતિશ કુમારે ચૂંટણીના પરિણામો પહેલા દેશના પ્રથમ વડાપ્રધાન પંડિત જવાહરલાલ નેહરુને શ્રદ્ધાંજલિ આપી. તેમની જન્મજયંતિ નિમિત્તે, તેમણે X પર લખ્યું, “ભારતના પ્રથમ વડાપ્રધાન સ્વર્ગસ્થ પંડિત જવાહરલાલ નેહરુને તેમની જન્મજયંતિ પર આદરપૂર્ણ વંદન.” નીતિશ કુમારના સ્વાસ્થ્ય વિશે અને કાવા-દાવા કરવામાં આવ્યા હતા, પરંતુ તેઓ પ્રચાર દરમિયાન ખૂબ સક્રિય દેખાયા હતા. તેમણે વરસાદમાં લાંબા અંતર કાપતા ખુલ્લી જીપમાં રોડ શોમાં પણ ભાગ લીધો હતો. તેજસ્વી યાદવ સહિત અનેક વિપક્ષી નેતાઓ તેમના સ્વાસ્થ્ય અંગે પ્રશ્નો ઉઠાવી રહ્યા હતા.
8 વાગ્યાથી મતગણતરી શરૂ થશે
બિહાર વિધાનસભાની તમામ 243 બેઠકો પરના લગભગ 5 કરોડ મતોને 4372 કાઉન્ટિંગ ટેબલ પર ગણવામાં આવશે. પોસ્ટલ બેલેટની મતગણતરી સવારે 8 વાગ્યાથી શરૂ થશે અને ઈવીએમના મતોની ગણતરી 8:30 વાગ્યે શરૂ થશે. આ સાથે જ 7 રાજ્ય અને કેન્દ્રશાસિત રાજ્યોમાં યોજાયેલી પેટાચૂંટણીના પણ પરિણામો આજે જ આવી જશે.
બહુમત માટે કેટલી બેઠક જરૂરી?
સૌથી પહેલા પોસ્ટલ બેલેટની ગણતરી કરવામાં આવશે અને તેના પછી ઈવીએમના વોટની ગણતરી શરૂ થશે. 243માંથી બહુમત માટે 122 બેઠકો જીતવી જરૂરી છે. આ વખતે લગભગ તમામ એક્ઝિટ પોલમાં NDAને બહુમત મળતું હોવાના દાવા કરાયા છે. જ્યારે મહાગઠબંધન પણ જીતનો દાવો કરવામાં પાછળ નથી. તેમણે કહ્યું હતું કે અમને તો એક્ઝેટ પોલ પર જ વિશ્વાસ છે.










