![]()
મુંબઈ : મુંબઈ ઝવેરી બજારમાં આજે શનિવારના કારણે બુલીયન બજાર સત્તાવાર બંધ રહી હતી. જો કે બંધ બજારે સોનાના ભાવમાં ઘટાડો જ્યારે ચાંદીના ભાવમાં વૃદ્ધી જોવા મળી હતી. વિશ્વ બજારના સમાચાર બન્ને કિંમતી ધાતુઓમાં સામસામા રાહ બતાવી રહ્યા હતા. દરમિયાન, વિશ્વ બજારમાં સોનાના ભાવ ઔંશના ઉંચામાં ભાવ ૪૨૩૫થી ૪૨૩૬ ડોલર થયા પછી ભાવ ઘટી નીચામાં ૪૨૦૦ની સપાટીની અંદર ઉતરી છેલ્લે સપ્તાહના અંતે ભાવ ૪૧૯૭થી ૪૧૯૮ ડોલર બોલાઈ રહ્યાના નિર્દેશો હતા. ડોલર ઈન્ડેક્સ ઉંચકાતાં વૈશ્વિક સોનામાં ઉછાળે ફંડોની વેચવાલી દેખાઈ હતી.
દરમિયાન, ડોલરનો વૈશ્વિક ઈન્ડેક્સ નીચામાં ૯૮.૮૧ તથા ઉંચામાં ૯૯.૧૩ થઈ છેલ્લે ૯૮.૯૯ રહ્યાના નિર્દેશો હતા. અમેરિકામાં કન્ઝયુમર સેન્ટીમેન્ટનો ઈન્ડેકસ પાંચ મહિનાની પીછેહટ પછી પ્રથમ વખત ઉંચકાયાના સમાચાર મળ્યા હતા.
દરમિયાન, અમેરિકામાં હવે મંગળવાર તથા બુધવાર દરમિયાન ફેડરલ રિધર્વની બે દિવસીય મિટિંગ મળવાની છે. આ મિટિંગમાં વ્યાજના દરમાં વધુ ઘટાડો જાહેર થવાની શક્યતા જાણકારો બતાવી રહ્યા હતા. અમેરિકામાં તાજેતરમાં બહાર પડેલા ખાનગી ક્ષેત્રના જોબગ્રોથના આંકડા નબળા આવ્યા છે. આના પગલે વ્યાજ દરમાંમ ઘટાડો થવાની શક્યતા વધી છે.
દરમિયાન, મુંબઈ બુલિયન બજારમાં આજે સોનાના ભાવ જીએસટી વગર ૯૯૫ના ૧૦ ગ્રામના રૂ.૧૨૮૦૭૭ વાળા ઘટી રૂ.૧૨૭૫૫૦ રહ્યા હતા જ્યારે ૯૯૯ના ભાવ રૂ.૧૨૮૯૫૨ વાળા રૂ.૧૨૮૦૫૦ રહ્યા હતા. મુંબઈ ચાંદીના ભાવવ જીએસટી વગર કિલોના રૂ.૧૭૮૨૧૦થી વધી રૂ.૧૭૯૦૦૦ બોલાઈ રહ્યા હતા.
મુંબઈ સોના-ચાંદીમાં જીએસટી સાથેના ભાવ આ ભાવથી ૩ ટકા ઉંચા રહ્યા હતા. દરમિયાન, વિશ્વ બજારમાં ચાંદીના ભાવ ઔંશના ૫૮.૧૫થી ૫૮.૧૬ વાળા વદી છેલ્લે ભાવ ૫૮.૩૪થી ૫૮.૩૫ ડોલર રહ્યા હતા.
દરમિયાન, અમદાવાદ ઝવેરી બજારમાં આજે સોનાના ભાવ રૂ.૫૦૦ ઘટી ૯૯૫ના ભાવ રૂ.૧૩૧૭૦૦ તથા ૯૯૯ના ભાવ રૂ.૧૩૨૦૦૦ રહ્યા હતા અમદાવાદ ચાંદીના ભાવ રૂ.૧૦૦૦ વધી રૂ.૧૭૫૦૦૦ બોલાતા થયા હતા.
વિશ્વ બજારમાં પ્લેટીનમના ભાવ ઔંશના ૧૬૬૦થી ૧૬૬૧ વાળા જો કે ઘટી છેલ્લે ભાવ ૧૬૪૩ થી ૧૬૪૪ ડોલર રહ્યા હતા. જ્યારે પેલેડીયમના ભાવ ૧૪૬૬થી ૧૪૬૭ વાળા નીચામાં ભાવ ૧૪૪૬ તથા ઉંચામાં ૧૪૭૩ થઈ છેલ્લે ભાવ ૧૪૬૧થી ૧૪૬૨ ડોલર રહ્યા હતા. વિશ્વ બજારમાં કોપરના ભાવ છેલ્લે ૧.૬૬૫ ટકા ઉંચા રહ્યા હતા. ક્રૂડતેલના વૈશ્વિક ભાવ વધ્યા હતા. બ્રેન્ટ ક્રૂડના ભાવ બેરલના ઉંચામાં ૬૪.૦૯ થઈ છેલ્લે ભાવ ૬૩.૭૫ ડોલર રહ્યા હતા જ્યારે યુએસ ક્રૂડના ભાવ ઉંચામાં ૬૦.૫૦ થઈ છેલ્લે ભાવ ૬૦.૦૮ ડોલર રહ્યા હતા.
દરમિયાન, ડાયરેકટરેટ ઓફ રેવેન્યુ ઈન્ટેલીજન્સ ડીઆરઆઈના જણાવ્યા મુજબ દેશમાં સોનાની ઈમ્પોર્ટ ડયુટી ઘટાડાતાં દાણચોરી ઘટી છે. દાણચોરીના સોનાની જપ્તી ૨૦૨૪-૨૫માં ઘટી ૧૦૭૩ કિલો થઈ છે જે પાછલા વર્ષે ૧૩૬૪ કિલો થઈ ડીઆરઆઈ દ્વારા થઈ હતી જ્યારે સીસીઆઈસી દ્વારા આવી જપ્તી ૩૪૮૦થી ૩૪૮૧ કિલોથી ઘટી ૨૬૦૦ કિલો થયાના સમાચાર મળ્યા હતા.










