![]()
શહેરમાં ટ્રાફિકની સમસ્યા વધી રહી છે, પરંતુ ખાસ કરીને ઉત્તર અને પૂર્વ વિસ્તાર વિસ્તારોમાં પરિસ્થિતિ વધુ ગંભીર બની છે. નેશનલ હાઇવે આ વિસ્તારોમાંથી પસાર થતો હોવાથી પીકઅવર્સ દરમિયાન ટ્રાફિકનું ભારણ ખૂબ વધી જાય છે. પરિણામે રોજિંદી મુસાફરી કરતા નોકરિયાત, વેપારીઓ તેમજ વિદ્યાર્થીઓ ભારે મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે. વૃધ્ધો. વૃધ્ધો, બીમાર નાગરિકો અને ઈમરજન્સીના વાહનો ટ્રાફિકના આ ગાઢ જંગલમાંથી એમનો માર્ગ કેવી રીતે કરે છે તે ફક્ત ભગવાનને ખબર છે. જાહેર રજાઓ દરમિયાન પરિસ્થિતિ રતિ વધુ વિકટ બને છે.
કપુરાઈ ચોકડીથી ચાણોદ અને સ્ટેચ્યુ ઓફ યુનિટિ તરફ જતાં વાહનોનો સતત ધસારો રહે છે. ઓવરબ્રિજ નીચે ડભોઈ તરફના માર્ગે ખાનગી મુસાફરી સહિતના વાહનોનું વાહનોનું આડેધડપાર્કિંગ આડે થાય છે. સોમા તળાવ ચાર રસ્તા પાસે ખાનગી વાહનોનો મોટા પાયે જમાવડો રહે છે.
ગોલ્ડન ચોકડીથી હાલોલ હાઇવે તરફના માર્ગ પર બંને બાજુએ ભારે વાહનોનું ગેરકાયદે પાર્કિંગ જોવા મળે છે, જે અકસ્માત અને ટ્રાફિક અવરોધનું કારણ બને છે. એરપોર્ટ સર્કલ પર હાઇવે તરફથી આવતા વાહનો સરળતાથી ડાબી તરફ વળી શકતા નથી. તે જ પ્રમાણે અમિતનગર સર્કલ પર હાઈવે તરફથી આવતા વાહનો માટે ડાબી તરફ વળવાની જગ્યા હોતી નથી, જ્યારે ન્યુ વીઆઈપી રોડથી દુમાડ ચોકડી તરફ બસો અને ખાનગી મુસાફરીના વાહનો ટ્રાફિકને અવરોધે છે.
હાઇવેની આજુબાજુના વ્યાવસાયિક એકમો, ગેરેજ અને હોટલો પાસે આડેધડ પાર્ક થતા વાહનો, અચાનક વળાંક લેતા ડ્રાઇવરો અને હાઈવેની ચોકડીઓ પર ઉભેલા બસ, ખાનગી વાહનો અકસ્માતને આમંત્રણ આપે છે.
ટ્રાફિક સમસ્યા હળવી કરવા માટે ચાર સ્થળે ઓવરબ્રિજ બંધાય છે
ટ્રાફિકનું ભારણ ઘટાડવા શહેરમાં સમા તળાવ, ખોડિયારનુગર ચાર રસ્તા, સરદાર એસ્ટેટ ચાર રસ્તા અને વૃંદાવન ચાર રસ્તા રસ્તા ખાતે ઓવરબ્રિજનું કામ પ્રગતિમાં છે.
-દેણા ચોકડી પાસે વિશ્વામિત્રી નદી પર તથા જામ્બુઆ ગામ પાસેનો ફોર લેન બ્રિજ હવે સિક્સ લેન બનાવવામાં આવી રહ્યો છે. આ બંને સ્થળે ટ્રાફિક જામ થતો હોવાથી વિસ્તરણ પછી રાહત મળશે.
દેણા ચોકડીએ વારંવાર અકસ્માત અને ગ્રામજનોના ચક્કાજામ પછી અહીં અંડરપાસ બનાવાયો હતો, જેના કારણે હવે અકસ્માતોમાં ઘટાડો થયો છે અને વાહન અવરજવર સરળ બની છે.
-હાઈવેને અડીને આવેલ એપીએમસી માર્કેટ ખાતે મોટી સંખ્યામાં લોકોની અવરજવર રહેતી હોવાથી લોકો સલામત રીતે હાઈવે ક્રોસ કરી શકે તે માટે વોક-વે બનાવાયો છે.










