![]()
અમદાવાદ,સોમવાર,15
ડિસેમ્બર,2025
અમદાવાદના થલતેજ વોર્ડમાં આવેલી સ્નેહાંજલિ સોસાયટીના
રહીશોને મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા નોટિસ આપતા વિવાદ વધુ વકર્યો છે. કોર્પોરેશન તરફથી સોસાયટીના તમામ રહીશોને ૧૬
ડિસેમ્બર સુધીમાં ડિમોલીશન કાર્યવાહી કરવાની હોવાથી નોટિસ આપી છે.સોમવારે વોર્ડના
કોર્પોરેટર સમીર પટેલ સોસાયટી ખાતે ગાડી
લઈને પહોંચતા સ્થાનિકોએ હાય રે ભાજપ હાય હાયના સૂત્રોચ્ચાર કરતા કોર્પોરેટરને
ગાડીમા બેસી ભાગી જવાની ફરજ પડી હતી.
થલતેજ વોર્ડમા ૩૫ વર્ષથી આવેલી સ્નેહાંજલિ સોસાયટીને તઁત્ર દ્વારા ગેરકાયદેસર જાહેર કરવામા આવી
છે.સોસાયટીમા રહેતા ૨૫ પરિવારોને માટે રહેઠાણનુ સંકટ ઉભુ થયુ છે. બિલ્ડર કાંતિભાઈ
દ્વારા મુળ ફાળવવામા આવેલા પ્લોટના બદલે અન્ય પ્લોટ ઉપર સોસાયટીનુ બાંધકામ કરી
મકાનો વેચી દેવામા આવ્યા હતા.મુળ પ્લોટના માલિકે બિલ્ડર પાસે પોતાનો પ્લોટ પરત
માંગતા આ મામલો છેક સુપ્રિમ કોર્ટ સુધી પહોંચ્યો છે.સોમવારે વોર્ડના ભાજપના
કોર્પોરેટર સોસાયટી ખાતે પહોંચ્યા એ વખતે સ્થાનિકોએ આક્રોશ સાથે વિરોધ કર્યો હતો.
સ્થાનિકો પૈકી કેટલાકે તો કોર્પોરેશનને બુલડોઝર ફેરવવુ હોય તો તેમના ઉપરથી ફેરવે
ત્યાં સુધીની ચિમકી મિડીયા સમક્ષ આપી હતી.સ્થાનિકોના આક્ષેપ મુજબ, કોર્પોરેશન
બિલ્ડર સામે કાર્યવાહી કરવાના બદલે રહીશોને ઘરવિહોણા કરવાના પ્રયાસ કરી રહયુ
છે.પરિસ્થિતિ વણસેલી હતી તેમ છતાં ભાજપના કોર્પોરેટર સોસાયટી ખાતે પહોંચતા
સ્થાનિકોએ તેમનો ઉગ્ર વિરોધ કર્યો હતો.કેમકે ૨૩ વૃધ્ધ પરિવાર સોસાયટીમાં વસે છે.










