![]()
વડોદરા,શહેર નજીકના દશરથ ગામે રહેતા પાંચ લોકોને કેનેડાના વર્ક પરમિટ વિઝા અપાવવાનું કહીને છેતરપિંડી કરવાના ગુનાની તપાસ દરમિયાન રૃપિયા ગુમાવનાર લોકોની સંખ્યા ૫૦ થઇ ગઇ છે. જેઓના સ્ટેટમેન્ટ લેવાની કાર્યવાહી સી.આઇ.ડી. દ્વારા હ ાથ ધરવામાં આવી છે.
દશરથ ગામમાં પટેલ ફળિયામાં રહેતા પાંચ લોકોને કેનેડાના વર્ક પરમિટ વિઝા અપાવવાનું કહીને ૩૮.૭૦ લાખની છેતરપિંડી કરવામાં આવી હતી. જે અંગે ઋચિત રાજેશભાઇ પટેલે વડોદરા સી.આઇ. ડી.ક્રાઇમ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. જેમાં આરોપી તરીકે (૧) પીનાલીબેન ધવલભાઇ પટેલ (રહે. પટેલ ફળિયું, પંચાયત ઓફિસ પાસે, દશરથ ગામ) (૨) અજય વિજયનભાઇ નાયર(રહે. ભાયલી ગામ) (૩) હિમાંશુ સુરેન્દ્રનાથ રાવ (રહે. ધ વેલેન્સીયા, ગોત્રી સેવાસી રોડ, મૂળ રહે. યુ.પી.) તથા (૪) સુખવિંદરસિંગ કુલવંતસિંગ ગુલાટી (રહે. નેતાજી નગર, લુધિયાના) ને દર્શાવવામાં આવ્યા હતા. આ ગુનાની તપાસ કરતા સી.આઇ.ડી. ક્રાઇમના પી.આઇ. એસ.જી.દેસાઇની તપાસ દરમિયાન આરોપીઓની વાતોમાં ફસાઇને રૃપિયા ગુમાવનાર વધુ ૪૫ લોકોની વિગતો મળી છે. પોલીસ દ્વારા તેઓના સરનામા મેળવી સંપર્ક શરૃ કરવામાં આવ્યો છે. તેઓના વિગતવારના નિવેદન પછી છેતરપિંડીનો આંકડો ૩૮ લાખથી વધીને એક કરોડને પાર થઇ જવાની શક્યતા છે.પોલીસનું કહેવું છે કે, મુખ્ય આરોપી સુખવિન્દરસિંગ પકડાયા પછી વધુ વિગતો મળશે. છેતરપિંડીનો આંકડો જાણવા માટે આરોપીઆના બેન્ક એકાઉન્ટની વિગતો પણ મંગાવવામાં આવી છે. છેતરપિંડીના રૃપિયાનું આરોપીઓેએ ક્યાં રોકાણ કર્યું છે. તે દિશામાં પણ તપાસ કરવામાં આવશે.










