![]()
જામનગરમાં કાલાવડ નાકા બહાર મુખ્ય રોડ પર ગઈ રાત્રે એક રીક્ષાચાલક કે જેણે ઓવર સ્પીડ ના કારણે સ્ટીયરીંગ પર નો કાબુ ગુમાવી દેતાં રીક્ષા પલટી ખાઇ હતી. અને ઈજાગ્રસ્ત બનેલા રીક્ષાચાલકને તાત્કાલિક સારવાર અર્થે સરકારી જી.જી.હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો.
જામનગર શહેરના કાલાવડ નાકા બહાર વિસ્તારમાં રહેતો તાજુદિન જલાલુદીન અંસારી નામનો 32 વર્ષીય યુવાન ગઇકાલે રાત્રે પોતે રિક્ષા લઇને ઘરે પરત ફરી રહ્યો હતો.ત્યારે, રાધિકા સ્કૂલ નજીક સ્ટીયરીંગ પરનો કાબુ ગુમાવી દેતા રીક્ષા રોડ પરથી નીચે ઉતરીને પલટી ખાઇ ગઇ હતી.
આ બનાવ બાદ કેટલાક રાહદારિઓ દ્વારા ઇજાગ્રસ્ત યુવાન તાજુદિનને 108 એમ્બ્યુલન્સ મારફતે સરકારી જી.જી.હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો. જ્યાં તેની સઘન સારવાર ચાલી રહી છે.










