
આજે માતા લક્ષ્મી-સંતોષીના શુક્રવારે મા શારદાની વસંત પંચમીનો સંયોગ : વસંત ઋતુનો પ્રારંભ તા. 18 ફેબુ્રઆરીએ ફાગણ માસના આંરભથી થશેઃ ભારતમાં પ્રાચીન કાળથી સંપત્તિ, સત્તા કરતા વધુ જ્ઞાનનું મહત્વ વિદ્યાવિહિનઃ પશુઃ
રાજકોટ, : આવતીકાલ તા. 23ના મહાસુદ પાંચમના માતા સંતોષી અને લક્ષ્મીજીની પૂજાના સાપ્તાહિક દિવસ શુક્રવારે જોગાનુજોગ માતા સરસ્વતીના પૂજનના મહત્વપૂર્ણ વાર્ષિક પર્વની ઉજવણી થશે. આવતીકાલે સવારે 7-30થી 12-30 દરમિયાન શુભ મુહુર્તમાં વિદ્યા-જ્ઞાાનના ઉપાસકો માતાજીનું સફેદ કે પીળા વસ્ત્રો પરિધાન કરીને માતાજીનું પૂજન કરશે.










