– દાહોદ આઇટીઆઇ પાસેથી
– ગરબાડાના નઢેલાવ ગામે રહેતા આરોપી સામે ફરિયાદ નોંધાતા પોલીસે તપાસ શરૂ કરી
દાહોદ : દાહોદ શહેરના આઈ.ટી.આઈ. પાસેથી એક યુવક ૧૫ વષય સગીરાને લગ્નની લાલચ આપીને ભાગાડીને લઇ ગયા બાદ સગીરા સાથે દુષ્કર્મ કર્યુ હોવાની ફરિયાદ દાહોદ પોલીસ સ્ટેશનમાં નોંધાઇ છે.
ગરબાડાના નઢેલાવ ગામે ગામતળ ફળિયામાં રહેતો વકીલ સુરેશભાઈ હઠીલા સામે ફરિયાદ નોંધાઇ છે કે ગરબાડા તાલુકામાં રહેતી એક ૧૫ વષય સગીરાને દાહોદ શહેરમાં આવેલ આઈ.ટી.આઈ. પાસેથી ગત તા.૨૮મી માર્ચના રોજ પત્ની તરીકે રાખવા સારૂ પટાવીને અપહરણ કરી લઈ નાસી ગયો હતો અને સગીરાની મરજી વિરૂધ્ધ દુષ્કર્મ આચર્યુ હતું.
આ સંબંધે અપહરણ અને દુષ્કર્મનો ભોગ બનેલ સગીરાના પિતાએ દાહોદ બી ડિવીઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાંવતાં પોલીસે ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.