![]()
– વરતેજ પોલીસ મથકમાં ગુનો નોંધાયો
– સાયકલ લઈને જઈ રહેલા શ્રમિકને કારે ટલ્લો મારતા અકસ્માત સર્જાયો
ભાવનગર : વરતેજ જીઈબી ઓફિસ સામે સાયકલ લઈને જઈ રહેલા આધેડને પાછળથી કારે ટલ્લો મારતા સર્જાયેલા અકસ્માતમાં આધેડનું મોત નિપજ્યું હતું. બનાવ અંગે વરતેજ પોલીસ મથકમાં કાર ચાલક સામે ગુનો નોંધાયો છે.
મધ્યપ્રદેશના વતની અને હાલ વરતેજ આંબાવાડીમાં રહેતા શ્યામબાઈ સંતોષકુમાર દહીયાએ વરતેજ પોલીસ મથકમાં જીજે-૦૩-એલજી-૮૯૧૮ નંબરની કારના ચાલક સામે ફરિયાદ નોંધાવી હતી. જેમાં તેમના પતિ સંતોષકુમાર રામધાની દહીયા (ઉ.વ.૫૮) ગત રોજ સાંજના સમયે તેમની સાયરલ લઈને વરતેજ જીઆઈડીસીમાં મજુરી કામ પરથી છૂટીને ઘરે આવી રહ્યાં હતા ત્યારે રાત્રિના ૮.૧૫ કલાકના અરસામાં વરતેજ જીઈબી ઓફિસ સામે હાઈ-વે રોડ પર રોડ ક્રોસ કરવા જતાં ભાવનગર તરફથી આવી રહેલી ઉક્ત કારના ચાલકે તેમના પતિની સાયકલને પાછળને ટલ્લો મારી અકસ્માત સર્જ્યો હતો. જેમાં તેમના પતિને ગંભીર ઈજાઓ પહોંચતા સારવાર માટે વરતેજ સરકારી દવાખાને ખસેડવામાં આવ્યા હતા. જ્યાં ફરજ પરના તબીબે તેમને મૃત જાહેર કર્યાં હતા. આ અંગે વરતેજ પોલીસે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.










