![]()
વડોદરા શહેર અને આસપાસના ઔદ્યોગિક વિસ્તારોમાં છેલ્લા થોડા વર્ષોમાં દુર્ગંધ, કાળો ધુમાડો અને રાત્રે કેમિકલ છોડાય છે જેવી ફરિયાદોમાં નોંધપાત્ર વધારો થયો છે. પ્રદૂષણ વધી રહ્યું છે, પરંતુ નિયંત્રણના દાવાઓ છતાં પરિણામ દેખાતું નથી.
નંદેસરી અને સાવલી જેવા ઔદ્યોગિક પટ્ટાઓમાં હવાની ગુણવત્તા અંગે નાગરિકોમાં ચિંતા વધી રહી છે. એર ક્વોલિટી ઈન્ડેક્સ (એ.કયું.આઈ) મુજબ આ શિયાળામાં પ્રદૂષણનું પ્રમાણ અવાર નવાર ઓરેન્જઝોનમાં રહ્યું છે. હાલ ઔદ્યોગિક વિસ્તારથી ઘણા અંતરે સ્થાપિત એર ક્વોલિટી મોનિટરીંગ સિસ્ટમમાં વડોદરાની હવાની ગુણવત્તા અવાર નવાર ઓરેન્જ ઝોનમાં રહ્યા બાદ બે દિવસથી ગ્રીન ઝોનમાં નોંધાઈ છે. જો કે નંદેસરી વિસ્તારમાં આજે એક્યુઆઈનું પ્રમાણ ઓરેન્જ ઝોનમાં ૨૪૫ નોંધાયુ છે.
નંદેસરી, સાવલી, મકરપુરા સહિતના ઔદ્યોગિક એસોસિએશન ખાતે દર મહિને જીપીસીબી દ્વારા એન્વાયરમેન્ટ ક્લિનિંગ અને ઓપન હાઉસ બેઠક યોજાય છે. તેમાં પ્રશ્નો સાંભળી માર્ગદર્શન આપે છે. મ્યુનિ. કોર્પોરેશનસાથે સંકલન કરીને નાગરિકોને જરૂરી સૂચના આપવાની જાણ કરવામાં આવે છે. છતાં મેદાનમાં પરિણામ મર્યાદિત જ દેખાઈ રહ્યું છે.
હાલ શહેરમાં ચારે તરફ ખોદકામના કારણે ઉડતી ધૂળથી લોકો પરેશાન થી રહ્યા છે. રસ્તાઓ પર જૂના ડીઝલ ટ્રક, ટેમ્પો અને ઓટોરિક્ષા કાળા ધુમાડા છોડતા નિરંકુશ દોડતા જોવા મળે છે.કન્સ્ટ્રક્શન સાઇટ, કોંક્રિટ અને કપચીના પ્લાન્ટ પણ પ્રદૂષણમાં વધારો કરે છે.
મ્યુનિ. કોર્પોરેશનને વર્ષ ૨૦૨૦થી ૨૦૨ પંદરમિયાન નાણાપંચ હેઠળ એર ક્વોલિટી ઇમ્પ્રુવમેન્ટ માટે રૂ. ૧૫૮.૨૨ કરોડ ફાળવાયા હતા. તેની સામે ૮૬ કામો માટે રૂ. ૧૭૦.૬૩ કરોડની મંજૂરી આપી છે. હાલ વધતા પ્રદૂષણને ધ્યાને લેતા મ્યુનિ. કોર્પોરેશન દ્વારા દટૂંક-માઉન્ટેડ એન્ટિ સ્મોગ ગન ખરીદવાની પ્રક્રિયા હાથ ધરાઈ છે.
ત્રણ વર્ષમાં વાહનોની સંખ્યામાં ૩૦ ટકા વધારો, જાહેર પરિવહન કેટલું અસરકારક?
He order le શહેરી વિસ્તારોમાં ટુ-વ્હીલર અને કાર પર લોકોની વધતી નિર્ભરતા ટ્રાફિક અને પ્રદૂષણ બંને માટે ચિંતાજનક બની રહી છે. વર્ષ ૨૦૨૫ દરમિયાન વડોદરામાં કુલ ૧.૪૬ લાખ નવા વાહનોનું રજીસ્ટ્રેશન થયું છે. જેમાં પેટ્રોલ વાહન – ૭૫,૯૪૦, ડીઝલ વાહન – ૧૩,૯૩૧, ફક્ત સીએનજી વાહન – ૬ ૧-૬,૩૯૮ અને ધોર ઈલેક્ટ્રિક વાહન- ૬,૯૯૩નો સમાવેશ થાય છે. તો બીજીતરફ ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમના વડોદરા વિભાગની ૪૧૫ બસોમાં દરરોજ આશરે ૮૨ હજાર મુસાફરો અવરજવર કરે છે. જ્યારે વડોદરા સિટિ બસ સર્વિસિસની ૧૧૫ બસોમાં દરરોજ અંદાજે ૯૦ હજાર મુસાફરો મુસાફરી કરે છે.
૨૦૨૫માં પ્રદૂષણની ફરિયાદોનો ચિતાર, ૩૦ ક્લોઝર ઓર્ડર, ૩૪૭શો-કોઝ નોટિસ
ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડના ઉપલબ્ધ આંકડા મુજબ વડોદરામાં વર્ષ ૨૦૨૫ દરમિયાન હવા પ્રદૂષણ – ૬૭, પાણી પ્રદૂષણ – ૬૯, બાયો મેડિકલ વેસ્ટ -૦૩, હેઝાર્ડ વેસ્ટ – ૧૪ તથા અન્ય પ્રદૂષણની- ૪૦ સહિત કુલ ૧૯૩ ફરિયાદો નોંધાઈ છે. જેની સામે જીપીસીબીએ વિવિધ એકમોને પર્યાવરણને નુકસાન બદલ ૩૦ ક્લોઝર ઓર્ડર, નિયમોના ભંગ બદલ ૪૯ નોટિસ ઓફ ડાયરેક્શન, જ્યારે માઈનોર પોલ્યુશન સહિતના મુદ્દે ૩૪૭શો-કોઝ નોટિસ પાઠવી છે.
ગ્રીન મૂવમેન્ટના પ્રથમ તબક્કામાં ૧૦૦ ઈલેક્ટ્રિક બસો
મ્યુનિ. કોર્પોરેશન પી.એમ. ઈ-બસ સેવા સ્કીમ અંતર્ગત પ્રથમ તબક્કામાં ૧૦૦ ઈલેક્ટ્રિક બસો શહેરમાં મુકવાની યોજના અમલમાં આવી રહી છે. આગામી સમયમાં કુલ ૨૦૦ ઈલેક્ટ્રિક બસ દોડાવવાનું આયોજન છે.
હવામાં પ્રદૂષણનો વધારો આરોગ્ય માટે ઘાતક
મેડિકલ ઓફિસર ડો. રીકેશ ચાંપાનેરિયાના મતે, હવામાં પ્રદૂષણનું પ્રમાણ વધુ હોય તો ક્રોનિક ઓન્સ્ટ્રક્ટિવ પલ્મનરી ડિઝીઝ, ક્રોનિક ઓન્સ્ટ્રક્ટિવ એડિનોટોન્સિલાઇટિસ, બ્રોન્કિયલ અસ્થમા, લંગ્સમાં ઈમ્ફીઓમાં જેવી બીમારીઓ થઈ શકે છે.જો કોઈ વિસ્તારમાં સતત ઓરેન્જ અથવા રેડ ઝોનમાં એ.ક્યુ.આઈ. રહે તો તે લોકોના આરોગ્ય પર ધુમ્રપાન જેવી અસર કરે છે. જે વિસ્તારોમાં એ.ક્યુ.આઈ. ચિંતાજનક સ્તરે હોય ત્યાં લોકોએ ખાસ કરીને બાળકો, વૃધ્ધો અને શ્વસન રોગથી પીડિત દર્દીઓએ તબીબની સલાહ મુજબ માસ્ક જરૂરી બને છે.










