![]()
અમદાવાદ,ગુરુવાર,5
માર્ચ,2026
અમદાવાદમાં ગ્રીન મોબીલીટી તરફ વધુ એક મહત્વપૂર્ણ પગલુ
ભરવામા આવ્યુ છે.પી.એમ.ઈ-ડ્રાઈવ સ્કીમ અંતર્ગત એ.એમ.ટી.એસ.તથા બી.આર.ટી.એસ. માટે
એક હજાર ઈલેકટ્રિક બસોને માટે મંજૂરી આપવામા આવી છે.૯ મીટરની ૬૦૦ ઈ-બસ
એ.એમ.ટી.એ.ને તથા ૧૨ મીટરની ૩૦૦ ઈ-બસ બી.આર.ટી.એસ.ને ફાળવવા તંત્ર તરફથી કવાયત શરુ
કરવામા આવી છે.જનમાર્ગ લિમિટેડની મળેલી બેઠકમાં ૧૦૦૦ ઈલેકટ્રિક એ.સી.બસ માટે
વર્કઓર્ડર ઈશ્યૂ કરવા મંજૂરી આપવામા આવી છે. આ નવી એ.સી.ઈલેકટ્રિક બસ વર્ષ-૨૦૨૬
અને ૨૦૨૭માં તબકકાવાર સામેલ કરાશે.
શહેરમાં ગ્રીન મોબીલીટીમા વધારો કરવાના ભાગરૃપે જનમાર્ગ
લિમિટેડની મળેલી બેઠકમાં પી.એમ.ઈ-ડ્રાઈવ સ્કીમ અંતર્ગત મિનિસ્ટ્રી ઓફ હેવી
ઈન્ડસ્ટ્રીઝ દ્વારા દેશના મોટા શહેરો માટે સંયુકત ટેન્ડર પ્રક્રીયા હાથ ધરવામા આવી
હતી.જેમાં અમદાવાદ શહેરને એક હજાર બસ ફાળવવામા આવી હતી.જે અનુસંધાનમાં એ.એમ.ટી.એસ.
અને બી.આર.ટી.એસ. માટે ગ્રોસ કોસ્ટ કોન્ટ્રાકટ આધારીત કરાર હેઠળ એ.સી.ઈલેકટ્રિક
બસો મેળવવામા આવશે.૯ મીટરની એ.સી.ઈ-બસ રુપિયા ૫૧.૫૦ પ્રતિ કિલોમીટરના ભાવથી તથા ૧૨
મીટરની એ.સી. ઈ-બસ પ્રતિ કિલોમીટર રુપિયા ૬૦.૮૦ના દરથી લેવાશે. ૧૨ મીટરની ૧૦૦ બસ
એ.એમ.ટી.એસ.ને ફળવાશે.વાયુ અને ધ્વનિ પ્રદૂષણમાં નોંધપાત્ર ઘટાડો થશે.










