રાજસ્થાન અને ગુજરાતના કેટલાક ભાગોમાં ચૈત્ર માસના શુક્લ પક્ષની ત્રીજ (ચૈત્ર સુદ ૩) ના રોજ ઉજવાતો શિવ-પાર્વતીની આરાધનાનો મુખ્ય પર્વ છે.આ ૧૬ થી ૧૮ દિવસીય ઉત્સવમાં મહિલાઓ અખંડ સૌભાગ્ય અને કુંવારી કન્યાઓ સારા પતિ માટે માટીના ગણ (શિવ) અને ગૌર (પાર્વતી) ની પૂજા તથા વ્રત કરે છે.
હોળીના બીજા દિવસથી શરૂ કરીને ૧૬-૧૮ દિવસ સુધી મહિલાઓ ગૌરી માતાની મૂર્તિઓ બનાવે છે.તેમને શણગારે છે અને દરરોજ પૂજા કરે છે. આ દિવસે મહિલાઓ રંગબેરંગી વસ્ત્રો અને પરંપરાગત આભૂષણો પહેરીને શિવ-પાર્વતીની પૂજા કરે છે.
ગીતો ગાય છે અને કળશ સાથે શોભાયાત્રા કાઢે છે.અંબાજીના રાધા કૃષ્ણ મંદિર થી ભવ્ય શોભાયાત્રા કાઢવામાં આવી હતી.અંબાજીના બજારોમાં થી નીકળી અગ્રવાલ ધર્મશાળા સુધી શોભાયાત્રા નીકળી હતી.મહિલાઓ ગરબા સાથે ભક્તિ કરતી જોવા મળી
રિપોર્ટર પ્રહલાદ પૂજારી અંબાજી










