![]()
– પહેલ ગામ એટેક : સમગ્ર દેશની સલામતી પર ઓછાયો
– ત્રણે સેનાઓના વડાઓએ સંરક્ષણ મંત્રીને જટકાની સ્થિતિથી વાકેફ કર્યા, તે પછી મોદીના નેતૃત્વ નીચે કેબિનેટ કમિટી ઓન સિક્યોરીટી અફેર્સની બેઠક મળશે
નવી દિલ્હી : પહેલગામ હુમલાઓ દેશમાં કાસ્કેટિંગ-ઈફેક્ટ ઉપસ્થિત કરી છે. માત્ર સરકાર કે સેનાઓ જ નહીં, દેશનો એકમેક નાગરિક આ ‘ના-પાક’ હરકતનો કટ્ટર જવાબ આપવા ઈચ્છે છે.
સંરક્ષણ મંત્રી રાજપાથસિંહે પણે સેનાઓના વડાઓ તથા નેશનલ સિક્યુરીટી એડવાઈઝર અજિત દોવલ સાથે સઘન મંત્રણાઓ શરૂ કરી દીધી છે. આ મંત્રણામાં એનએસએ અજિત દોવલ, એરફોર્સના વડા એર ચીફ માર્શલ એ. પી. સિંઘ, ભૂમિદળના વડા જનરલ ઉપેન્દ્ર દ્વિવેદી અને નેવી ચીફ, દિનેશ ત્રિપાઠી ઉપસ્થિત રહ્યા.
જમ્મુ અને કાશ્મીરના પહેલ ગામમાં ૨૬ નિર્દોષ સહેલાણીઓની કશા પણ કારણ વિના આતંકીઓએ કરેલી નૃશંસ હત્યાએ દુનિયાભરમાં આંચકો લગાડી દીધો છે. ભારતભરમાં હાહાકાર મચી રહ્યો છે.
આના પગલે જ-અને-કા. માં ઉપસ્થિત થયેલી પરિસ્થિતિ અંગે ત્રણે સેનાઓના વડાઓએ સંરક્ષણ મંત્રી રાજનાથસિંહે માહિતગાર કર્યા હતા.
પ્રાપ્ય માહિતી પ્રમાણે ટોચના અધિકારીઓ અત્યારે જ. અને કા. પહોંચી ગયા છે. સ્થાનિક સલામતી દળોને હાઈ એલર્ટ પર મુકી દેવાયા છે, વધારાની ટુકડીઓ પણ રવાના કરી દેવાય છે. તેઓને આદેશ અપાઈ ગયો છે કે આ નૃશંસપણે હત્યાકાંડ કરનારા તે હત્યારાઓને શોધી તેમને ખતમ કરવા.
મંગળવારે હુમલો થયો ત્યારે રાજનાથસિંહે તે હુમલાને બાયલા જેવો અને નિંદનીય કહ્યો હતો. સાથે નિર્દોષ પ્રવાસીઓની થયેલી હત્યા માટે આક્રોશ ઠાલવ્યો હતો. તેઓએ ટ પ્લેટફોર્મ ઉપર લખ્યું ઃ ”પહેલગામ (જમ્મુ અને કાશ્મીર)માં નિર્દોષ નાગરિકો ઉપર થયેલો જધન્ય હુમલો બાયલા જેવો એક નીંદનીય જણાવ્યો હતો. મારું મન અને મારી પ્રાર્થનાઓ તે નિર્દોષ નાગરિકો અને તેઓના કુટુમ્બીજનો તરફ વહે છે.”
આ આતંકી હુમલામાં નેવલ ઓફીસર લેફટેનન્ટ વિજય નરવાલ માર્યા ગયા હતા. તેઓ લગ્ન પછી ત્યાં મધુરાનો માણવા ગયા હતા.
હવે તે હુમલા કરનાર ત્રણે આતંકીઓ જેઓ જંગલમાં મારી નાસી ગયા હતા. તેમની શોધ ચાલી રહી છે. તેઓના નામ પણ જાણવા મળ્યા છે. આસિફ હૌજી, બીજો સુલેમાન શાહ અને ત્રીજો અબ્રતલ્હા છે. તેઓના ”કોડ-નેમ” મૂઆ યુનુસ અને આસિફ છે. પંચ પર ત્રાસવાદી હુમલો તેમણે કર્યો હતો.
વધુમાં જાણવા મળે છે કે રાજનાથસિંહ સાથેની બેઠક બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વ નીચે ”કેબિનેટ કમિટી ઓન સિક્યુરીટી”ની બેઠક મળશે જેમાં રાજનાથસિંહ તેમને મળેલી વિગતો રજુ કરશે.
આ હુમલાની માહિતી મળતા, વિત્ત મંત્રી નિર્મલા સીતારામન મુલાકાત ટુંકાવી દિલ્હી પોંચી ગયા છે.










