![]()
આરટીઓ કચેરીમાં બોંબ હોવાની ધમકી મળતા તંત્ર દોડતું થયું હતું અને સુરક્ષાના હેતુસર કચેરીનું કામકાજ તાત્કાલિક બંધ કરાવી દેવામાં આવ્યું હતું.
જો કે આ દરમિયાન અરજદારોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. પ્રથમ સ્લોટમાં ટુ-વ્હીલર, ફોર-વ્હીલરનાડ્રાઇવિંગ ટેસ્ટ માટે પહોંચેલા ૪૫ અરજદારોને ટેસ્ટ વિના પરત ફરવું પડયું હતું. ઉપરાંત વાહન અને લાયસન્સ સંબંધિત કામ માટે આવેલા અન્ય અરજદારોને પણ ધક્કો પડ્યો હતો.
ઘણા અરજદારો લાંબા અંતરથી આવ્યા હોઈ કચેરી ફરી શરૂ થાય તેની રાહ જોતા રહ્યા હતા અને તડકામાં શેકાયા હતા. બોમ્બ સ્કવોડ દ્વારા તપાસ પૂર્ણ કરાયા બાદ કોઈ શંકાસ્પદ વસ્તુ ન મળતા બપોરે ૩ વાગ્યે આરટીઓનું કામકાજ ફરી રાબેતા મુજબ શરૂ કરાયું હતું.
વિભાગ દ્વારા ડ્રાઈવિંગ ટેસ્ટ માટેની એપોઈન્ટમેન્ટ રિશિડ્યુલ કરાઈ હતી અને બપોર બાદ ૫૦ અરજદારોએ ડ્રાઈવિંગ ટેસ્ટ આપ્યા હતા.










