![]()
વડોદરાઃ પેરોલ પર છૂટી ફરાર થયેલા હત્યા કેસના કેદીને વડોદરા ક્રાઇમ બ્રાન્ચે ઝડપી પાડી જેલને સોંપવા માટે તજવીજ કરી હતી.
લુણાવાડાના થાણા સાવલી ખાતે થયેલી હત્યાના બનાવમાં પોલીસે ગુલાબસિંહ સ્વરૃપ સિંહ સોલંકી(થાણા સાવલી)ને ઝડપી પાડતાં કોર્ટે તેને સજા ફટકારી હતી.
વડોદરાની જેલમાં પાકા કામના કેદી તરીકે રખાયેલા ગુલાબસિંહને ગઇ તા.૧૭મી માર્ચે ૧૦ દિવસના પેરોલ મળ્યા હતા.જેથી તેને તા.૨૮મીએ હાજર થવાનું હતું.પરંતુ તે ફરાર થઇ જતાં જેલ સત્તાધીશોએ વડોદરા પોલીસને જાણ કરી હતી.કેદી પાણીગેટ વિસ્તારમાં આવ્યો હોવાની માહિતી મળતાં ક્રાઇમ બ્રાન્ચની ટીમે તેને શોધી કાઢ્યો હતો.










