![]()
સફેદ ડુંગળીની તુલનામાં લાલ કાંદાની આવકમાં ઘટાડો
સોમવારથી સફેદ ડુંગળીની આવકમાં ઉત્તરોત્તર વધારો,ગુરૃવારે સફેદ કાંદાની ૧,૭૬,૨૧૬ થેલીનું વેચાણ નોંધાયુ
ભાવનગર – મહુવા માર્કેટીંગ યાર્ડમાં સફેદ કાંદાનો ભરાવો થયેલો હોવાથી એટલુ જ નહિ હાલ યાર્ડમાં જગ્યાનો અભાવ હોય આવતીકાલ શુક્રવારે સવારથી સફેદ કાંદાની આવક બંધ કરવામાં આવશે.બંધ આવક દરમિયાન સફેદ કાંદાના વાહનને પ્રવેશ અપાશે નહિ તેની સંબંધિત ખેડૂતો અને કમિશનભાઈઓને યાર્ડ દ્વારા તાકિદ કરાઈ છે.
મહુવા માર્કેટીંગ યાર્ડમાં ગત સોમવારથી દરરોજ નવી સીઝનનની લાલ ડુંગળીની તુલનામાં સફેદ ડુંગળીની દોઢ લાખથી વધુ થેલીઓની ધૂમ આવક નોંધાઈ રહી છે. એટલુ જ નહિ તેના પોષણક્ષમ ભાવ પણ મળી રહ્યા હોય ખેડૂતોમાં ઉત્સાહ વધી રહ્યો છે. ગત તા.૧૩ મીએ મહુવા યાર્ડમાં લાલ ડુંગળીની ૧૬૨૮૧ થેલીનું વેચાણ થયુ હતુ. જયારે તેના ઉંચા ૨૫૩ ના ભાવ બોલાયા હતા.જયારે સફેદ ડુંગળીની ૧,૮૭,૮૭૦ થેલીઓનુ વેચાણ થયુ હતુ. અને તેના ઉંચા ભાવ ૨૫૭ બોલાયા હતા. તા.૧૪ મીએ મહુવા યાર્ડમાં લાલ ડુંગળીની ૧૩,૨૦૩ થેલીનું વેચાણ ૨૩૭ ના ઉંચા ભાવે થયુ હતુ. જયારે સફેદ ડુંગળીની ૧,૭૦,૯૮૫ થેલીનું વેચાણ ઉંચા ૨૪૮ ના ભાવે કરાયુ હતુ.તા.૧૫મીએ લાલ ડુંગળીની ૧૨૦,૨૨ થેલીનું ૨૧૦ ના ઉંચા ભાવે વેચાણ થયુ હતુ. જયારે સફેદ ડુંગળીની ૧,૭૪,૩૯૪ થેલીનુું ઉંચા ૨૪૫ ના ભાવે વેચાણ થયુ હતુ.તેમજ તા.૧૬ મીએ લાલ ડુંગળીની ૯૮૯૭ થેલીનું ૨૭૧ વેચાણ થયુ હતુ. જયારે સફેદ ડુંગળીની ૧,૭૬,૨૧૬ થેલીનું ૨૫૮ ના ઉંચા ભાવે વેચાણ થયુ હતુ. આમ છેલ્લા ચાર દિવસથી મહુવા યાર્ડમાં સફેદ કાંદાનો ભરાવો થયેલ હોવાથી જગ્યાનો અભાવ હોય તેમજ ગણેશ ચતુર્થીની રજા આવતી હોવાથી તા.૧૭ના સવારે ૯ થી સફેદ કાંદાની આવક બંધ કરાશે. બાદ તા.૨૦ ને સોમવારે સાંજે ૬ થી સવારે ૯ સુધી સફેદ કાંદાની આવક રાબેતા મુજબ લેવામાં આવશે .










