![]()
111
બાળકને પહેલેથી બીમારી હોય અને વિદેશ પ્રવાસ દરમિયાન વધે તો જીવલેણ કટોકટી હળવી કરી આપવા સુધી જ અપાતી સારવાર
(પ્રતિનિધિ તરફથી)અમદાવાદ,શુક્રવાર
ઊનાળાના વેકેશમાં વિદેશ પ્રવાસે બાળકને સાથે લઈ જતાં
પરિવારના બાળકને પોલીસી લીધા પહેલાના ૩૬ મહિનાના સુધીના ગાળામાં કોઈ મોટી ગંભીર
બીમારી થઈ હોવાનું અને તેને લગતી જ બીમારી વિદેશના પ્રવાસ દરમિયાન થાય તો તેવા
સંજોગોમાં વિદેશ પ્રવાસ દરમિયાનનો આરોગ્ય વીમો હોવા છતાં તેને તે બીમારીનો સંપૂર્ણ
સારવારનો ખર્ચ મળી શકતો નથી. જોકે દરેક વીમા કંપનીઓ તેને માટે અલગ શરતો રાખે છે. આ
બીમારી દરમિયાન વીમાધારકના જીવ સામે જોખમ ઊભું થઈ જાય તો તે જોખમ હળવું કરવા
સુધીની સારવારના ખર્ચને આવરી લેવામાં આવે છે. તેનાથી વધુ ખર્ચને આવરી લેવામાં આવતો
નથી. આરોગ્ય વીમો હોવા છતાં બાળકને સંપૂર્ણ સારવાર આપવામાં આવતી નથી.
ઉદાહરણ આપીને વાત કરીએ તો તમારા બાળકને આંચકી આવવાની બીમારી
હોય અને વિદેશ પ્રવાસ દરમિયાન તેની અસર હેઠળ જ કોઈ અન્ય તકલીફ થાય ક ેવાઈ કે આંચકી
આવે તો તે બાળકને તે માટેની પ્રાથમિક સારવાર મળી રહે છે. તે ગંભીર બની જાય તો તેની
સંપૂર્ણ સારવાર મળી શકતી નથી. તેની ગંભીરતા હળવી કરવા સુધીની સારવાર જ અપાય છે. તેથી
વીમો લેતા પહેલા જ તેની શરતોને સમજી લેવી જરૃરી છે.
તમે વિદેશનો પ્રવાસ કરો તે દરમિયાન આબોહવા પરિવર્તનને કારણે
તમારા બાળકને તાવ, શરદી અથવા વાયરલ ઇન્ફેક્શન થાય તો તેને
સામાન્ય રીતે નવી અને અણધારી બીમારી ગણવામાં આવે છે. આ પ્રકારના કિસ્સાઓમાં મોટા
ભાગની પોલિસીઆમાંે આઉટપેશન્ટ ડિપાર્ટમેન્ટના હેઠળ મળતા લાભો એટલે કે ડોક્ટરની સલાહ,
નિદાન અને સૂચવેલી દવાઓ સહિતના તબીબી રીતે જરૃરી ખર્ચાઓને આવરી
લેવામાં આવે છે. તેનાથી વિશેષ સારવાર ન મળે તેવી સંભાવના છે.
તમે તમારા પરિવાર સાથે વિદેશમાં રજાઓ ગાળવા ગયા હોવ તે વખતે
બાળકને અચાનક તાવ આવે અથવા વાયરલ ઇન્ફેક્શન થાય તો તમારી માનસિક તાણ વધી જાય તેવું
બની શકે છે. ટ્રાવેલ ઇન્સ્યોરન્સના નિષ્ણાતો કહે છે કે ટ્રાવેલ ઈન્સ્યોરન્સ વિદેશમાં ડોક્ટરની સલાહ
અને તબીબી સારવારના ખર્ચને આવરી લે છે, પરંતુ
તેને માટે પણ પોલિસીની શરતો પર ધ્યાન આપવું મહત્વનું છે. તેમાં રૃટિન અથવા બીમારી
નિવારવા માટેના ચેક-અપનો સમાવેશ કરવામાં આવતો નથી, કારણ કે
ટ્રાવેલ ઈન્સ્યોરન્સ મુસાફરી દરમિયાન અણધારી તબીબી જરૃરિયાતો માટે હોય છે.
વિદેશ પ્રવાસ કરતા પરિવારો માટે, ખાસ કરીને નાના બાળકો સાથે વિદેશ પ્રવાસ કરનારાઓ માટેની
ટ્રાવેલ ઈન્સ્યોરન્સ પોલિસીના સમયગાળા દરમિયાન અણધારી તબીબી ઘટનાઓને આવરી લેવા
માટે બનાવવામાં આવ્યો છે. છતાં તેમાં સંપૂર્ણ કવરેજ મળતું નથી. આંશિક કવરેજ
આપવામાં આવે છે. તેથી જ વિદેશ પ્રવાસ માટેનો વીમો લેનારાઓએ તેની શરતોનો અભ્યાસ કરી
લેવો જરૃરી છે.
વિદેશની મુસાફરી દરમિયાન અચાનક થતી બીમારીઓ જેમ કે તાવ, ફ્લૂ, ફૂડ પોઈઝનિંગ અથવા ઈન્ફેક્શન થાય
તો તેની સારવાર મળી શકે છે. વિદેશમાં ઈમરજન્સી ડોક્ટર કન્સલ્ટેશન અને હોસ્પિટલમાં
દાખલ થવાનો ખર્ચ આપવામાં આવે છે. તેમ જ ડાયગ્નોસ્ટિક ટેસ્ટ, દવાઓ
અને ઇમરજન્સી મેડિકલ પ્રક્રિયાઓ માટેનો ખર્ચ પણ આપવામાં આવે છે. તબીબી સ્થળાંતર એટલે
કે તબીબી કારણઓસર મેડિકલ ઇવેક્યુએશન કરવાની કે પછી ઇમરજન્સી ટ્રાન્સપોર્ટેશન જરૃર
ઊભી થાય તો તે ખર્ચ આપવામાં આવે છે. પહેલેથી અસ્તિત્વમાં રહેલા રોગો માટે કવરેજ
સામાન્ય રીતે માત્ર ઈમરજન્સી સ્ટેબિલાઈઝેશન સુી મર્યાદિત હોય છે. રૃટિન હેલ્થ
ચેક-અપ, આયોજિત સારવાર અને કોસ્મેટિક પ્રક્રિયાઓ બાકાત
રાખવામાં આવે છે.










