
વોર્ડ નંબર ૧૪માં જૂના સિટી વિસ્તારોમાં પાણી, ગટર, રોડ અને ટ્રાફિક જેવી પ્રાથમિક સુવિધાઓ મુદ્દે કોંગી કાઉન્સિલરો તથા કોંગ્રેસ ઉપપ્રમુખે મ્યુનિ. કમિશનરને આવેદનપત્ર પાઠવી સમસ્યાઓનો કાયમી ઉકેલ લાવવા માગ કરી છે.
રજૂઆતમાં જણાવાયું છે કે મહેતા પોળ, નાની છીપવાડ, મોટી છીપવાડ, બાજવાડા, દાંડિયા બજાર, રાવપુરા, વાડી વિસ્તાર, બરાનપુરા, ખારવાવાડ, ચુનારાવાડ, ઘડિયાળી પોળ, દત્તનગર, બાવરી કુંભારવાડા, પ્રતાપનગર તથા ઋણમુક્તેશ્વર મહાદેવ મંદિર નજીકના વિસ્તારો માં નાગરિકો લાંબા સમયથી પાણી અને ગટરની સમસ્યાઓથી પરેશાન છે.
એમણે ઉમેર્યું કે પાણીગેટ ટાંકી, જેલ રોડ ટાંકી અને ગાજરાવાડી પાણીની ટાંકીથી વિતરણ કરાતા પાણીમાં ઈયળ અને જીવાતો જોવા મળતા લોકોના આરોગ્ય પર જોખમ ઊભું થાય છે.










