![]()
Vadodara Theft Case : વડોદરાના તરસાલીમાં મનોકામના સોસાયટીમાં રહેતા અને ખાનગી કંપનીમાં મશીન ઓપરેટર તરીકે નોકરી કરતા દિનેશભાઈ પરશુરામભાઈ ગત 23 મી તારીખે મહારાષ્ટ્ર સિરપુરમાં પરિવાર સાથે સામાજિક પ્રસંગમાં ગયા હતા. તે દરમિયાન ચોર ટોળકી લોખંડની જાળીને મારેલું તાળું તોડીને અંદર ઘૂસી હતી. ચોર ટોળકી ઘરમાંથી 15 તોલા વજનના સોનાના દાગીના,ચાંદીના દાગીના તથા રોકડ 2 લાખની મતા ચોરી ગઈ હતી. સોનાનો એક તોલાનો ભાવ હાલમાં 1.60 લાખ છે. પરંતુ પોલીસે માત્ર 40 હજાર જ ભાવ ગણ્યો છે. પોલીસે કુલ 9.90 લાખની ચોરીની ફરિયાદ નોંધી છે.










