![]()
૧૫ જુલાઈ સુધી વિશેષ ટ્રેન દોડાવા પશ્ચિમ રેલવેનો નિર્ણય
આજથી તમામ યાત્રી આરક્ષણ કેન્દ્રો અને આઈઆરસીટીસીની વેબસાઈટ પરથી ટિકિટ
બુકિંગ કરી શકાશે
ભાવનગર – ભાવનગર મંડળના
ગાંધીગ્રામ સ્ટેશનથી પ્રયાગરાજ વચ્ચે દોઢ માસ સુધી દ્વિ-સાપ્તાહિક સ્પેશિયલ ટ્રેન
દોડાવા નિર્ણય કરાયો છે.
પશ્ચિમ રેલવે દ્વારા યાત્રિકોની માંગ અને સુવિધાને ધ્યાનમાં રાખી ભાવનગર
મંડળમાંથી વધુ એક સ્પેશિયલ ટ્રેન સેવા ઉપલબ્ધ કરાવવામાં આવી રહી છે.
ગાંધીગ્રામ-પ્રયાગરાજ જંક્શન વચ્ચે વિશેષ ભાડા પર દ્વિ-સાપ્તાહિક સ્પેશિયલ ટ્રેન
આગામી ૩૧મી મેથી દોડતી થશે. આ અંગે ભાવનગર મંડળના વરિષ્ઠ મંડળ વાણિજ્ય પ્રબંધક
અતુલ કુમાર ત્રિપાઠીએ જણાવ્યું હતું કે, તા.૩૧-૫થી તા.૧૫-૭ સુધી
ગાંધીગ્રામ-પ્રયાગરાજ જંક્શન ટ્રેન દર રવિવાર અને બુધવારે સાંજે ૫-૨૦ કલાકે ઉપડી
બીજા દિવસે રાત્રે ૮ કલાકે પ્રયાગરાજ જંક્શન પહોંચશે. પ્રયાગરાજથી તા.૩૦-૫થી
તા.૧૪-૭ સુધી દર શનિવાર અને મંગળવારે સાંજે ૪-૧૫ કલાકે ટ્રેન પ્રસ્થાન થઈ બીજા
દિવસે બપોરે ૩-૩૦ કલાકે ગાંધીગ્રામ પહોંચશે. બન્ને દિશામાં ચાંદખેડા રોડ, મહેસાણા (જં), પાલનપુર (જં), આબુરોડ,
સુમેરપુર જવાઈ બાંધ, ફાલના, મારવાડ (જં), બ્યાવર, અજમેર
(જં), કિશનગઢ, જયપુર, ગાંધીનગર-જયપુર, બાંદીકુલ, ભરતપુર,
ઈદગાહ, ટૂંડલા (જં), ઈટાવા
(જં), ગોવિંદપુરી અને ફતેહપુર સ્ટેશન પર ટ્રેનનો હોલ્ટ થશે.
આવતીકાલ તા.૩૦-૫ને શનિવારથી તમામ યાત્રી આરક્ષણ કેન્દ્રો અને આઈઆરસીટીસીની વેબસાઈટ
પરથી ટિકિટ બુકિંગ શરર્ થશે તેમ ઉમેર્યું હતું.










