
Vadodara Theft Case : વડોદરા તાલુકા પોલીસ સૂત્રો મુજબ રાયપુરા ગામના પરા વિસ્તારમાં રહેતા નરેન્દ્રભાઈ ભીખાભાઈ ગોહીલ ખેતી કરી પરિવારનું ગુજરાન ચલાવે છે. છેલ્લા એક મહિનાથી તેઓ પરિવાર સાથે ગામની સીમમાં આવેલા ખાબડિયા વિસ્તારમાં ખેતરમાં બનાવેલા કાચા મકાનમાં રહેતા હતા. જેના કારણે પરા ગામના રહેણાંક મકાનને તાળું મારી બંધ રાખવામાં આવ્યું હતું.
ગત 31 મેના રોજ સાંજે નરેન્દ્રભાઈ પોતાના મકાન પર આવ્યા હતા અને જરૂરી કામકાજ પૂર્ણ કરી મકાનના મુખ્ય દરવાજા તેમજ અંદરના દરવાજાને તાળાં મારી પરત ખેતર પર ગયા હતા. ત્યારબાદ તેઓ ત્રણથી ચાર દિવસ સુધી મકાન પર આવ્યા ન હતા.










