![]()
Navaratri 2025: નવરાત્રિ અમદાવાદમાં ભારે ટ્રાફિકની સમસ્યા જોવા મળે છે. એવામાં આ દરમિયાન વાહન વ્યવહાર ખોરવાય નહીં અને અકસ્માતના બનાવોને ટાળી શકાય તે માટે અમદાવાદ ટ્રાફિક પોલીસ દ્વારા મહત્ત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. જે અનુસાર, નવરાત્રિ દરમિયાન રાતના 2 વાગ્યા સુધી શહેરમાં ભારે વાહનો પર પ્રતિબંધ રહેશે. નોંધનીય છે કે, એસ.જી હાઇવે પર ત્રણ ક્લબ, 10થી વધુ પાર્ટી પ્લોટ અને અનેક ફાર્મહાઉસમાં ગરબા કાર્યક્રમનું આયોજન કરવામાં આવે છે. અહીં દર વર્ષે મોટી સંખ્યામાં ભીડ એકઠી થાય તેવું અનુમાન છે. તેથી આ નિર્ણય લેવામાં આવ્યો છે.
આ પણ વાંચોઃ ગોધરા શહેરમાં 13 કલાકના વીજકાપથી ગ્રાહકોમાં રોષ, MGVCL કચેરીએ મચાવ્યો હોબાળો
રાત્રે 2 વાગ્યા સુધી ભારે વાહન પર પ્રતિબંધ
સંયુક્ત પોલીસ કમિશનર (ટ્રાફિક) એન.એન. ચૌધરીએ જણાવ્યું હતું કે, સામાન્ય રીતે ભારે વાહનોને એસ.જી હાઇવે પર રાત્રે 11 વાગ્યા સુધી પ્રવેશવા પર પ્રતિબંધ હોય છે, પરંતુ નવરાત્રિ દરમિયાન આ પ્રતિબંધ રાતના 2 વાગ્યા સુધી લંબાવવામાં આવશે.
આ પણ વાંચોઃ દેવાયત ખવડ જેલના હવાલે: હુમલાના કેસમાં રિમાન્ડ પૂર્ણ, આવતીકાલે વેરાવળ કોર્ટમાં સુનાવણી
ટ્રાફિક સંચાલન માટે ખાસ તૈયારી
ઉલ્લેખનીય છે કે, કર્ણાવતી ક્લબ ચાર રસ્તા અને ઝાયડસ હોસ્પિટલના ચાર રસ્તાની વચ્ચે 5.5 કિ.મીના ભાગમાં તહેવાર દરમિયાન ભારે ભીડ થવાની સંભાવના છે. કર્ણાવતી ક્લબથી સરખેજ જતા રસ્તા પર ફ્લાઇઓવર નિર્માણ કામ ચાલી રહ્યું છે. જેના કારણે રસ્તાનો એક ભાગ બંધ છે. આ સાથે જ બીજી બાજુ ખોદાકામ શરૂ છે, જેથી ટ્રાફિક જામ થવાની સંભાવના વધી ગઈ છે. સ્થિતિ પર કાબુ મેળવવા માટે બે ડીસીપી, બે એસપી, સાત પીએસઆઇ અને 500 પોલીસકર્મીને ટ્રાફિક નિયંત્રમ માટે આ રસ્તા પર તૈનાત કરવામાં આવશે.










