gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

અમદાવાદ: 40 ડિગ્રીથી વધુ તાપમાનમાં વન્યજીવો માટે કાંકરિયા ઝૂ સજ્જ, એર કૂલર અને ગ્રીન નેટથી અપાશે ઠંડ…

G METRO NEWS by G METRO NEWS
May 9, 2026
in GUJARAT
0 0
0
અમદાવાદ: 40 ડિગ્રીથી વધુ તાપમાનમાં વન્યજીવો માટે કાંકરિયા ઝૂ સજ્જ, એર કૂલર અને ગ્રીન નેટથી અપાશે ઠંડ…
0
VIEWS
Share on FacebookShare on Twitter



Ahmedabad Zoo Uses Air Coolers: અમદાવાદમાં ઉનાળાનો પારો 40 ડિગ્રીને પાર કરી ગયો છે ત્યારે મનુષ્યોની સાથે સાથે પ્રાણી સંગ્રહાલયના અબોલ જીવોને ગરમીથી બચાવવા માટે વહીવટી તંત્ર દ્વારા વિશેષ આયોજન કરવામાં આવ્યું છે. કાંકરિયા ખાતે આવેલા અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન સંચાલિત કમલા નેહરુ પ્રાણી સંગ્રહાલયમાં વન્યજીવોને હીટવેવથી રક્ષણ આપવા માટે હાઈટેક સુવિધાઓ અમલમાં મૂકવામાં આવી છે.

2190 વન્યજીવો માટે ‘કૂલ’ વ્યવસ્થા

કાંકરિયા પ્રાણી સંગ્રહાલયમાં હાલ 2190 જેટલા પ્રાણીઓ, પક્ષીઓ અને સરિસૃપો વસવાટ કરે છે. તાપમાનના વધારાથી બચાવવા માટે સિંહ, વાઘ, દીપડા અને હાથી જેવા પ્રાણીઓના પાંજરા પાસે 38 થી 40 જેટલા એર કૂલર લગાવવામાં આવ્યા છે. નિશાચર પ્રાણીઓ માટેના ઝૂમાં ETHE (Earth Tube Heat Exchanger) અને જીઓ-થર્મલ એરેશન સિસ્ટમ કાર્યરત છે, જે અંદરનું તાપમાન સાનુકૂળ રાખે છે. સૂર્યના સીધા કિરણોથી બચાવવા માટે પાંજરાઓ પર ગ્રીન નેટ બાંધવામાં આવી છે અને યોગ્ય શેલ્ટરની વ્યવસ્થા કરાઈ છે.

આ પણ વાંચો: અમદાવાદ: સાબરમતીમાં ધોળે દિવસે ચેન સ્નેચિંગ, બાઈક સવાર બે ગઠિયા સોનાની ચેન ઝૂંટવી ફરાર

ખાસ ડાયટ અને મેડિકલ દેખરેખ

પ્રાણીઓમાં ડિહાઈડ્રેશનની સમસ્યા ન સર્જાય તે માટે વેટરનરી ડોક્ટરોની ટીમ દ્વારા સતત નિરીક્ષણ કરવામાં આવે છે. ગરમીમાં ઠંડક આપવા માટે પ્રાણીઓને તરબૂચ, ટેટી અને શેરડી જેવા ફળો આપવામાં આવે છે. વન્યજીવોના પીવાના પાણીમાં ગ્લુકોઝ અને ORS પાઉડર ઉમેરવામાં આવે છે જેથી શરીરમાં પાણીનું સ્તર જળવાઈ રહે. વિદેશી પ્રાણીઓ પર ગરમીની વધુ અસર ન થાય તે માટે વેક્સિનેશન, ડિવોર્મિંગ અને મેડિકલ ચેકઅપ માટે રેગ્યુલર રાઉન્ડ લેવામાં આવે છે.

મુલાકાતીઓ માટે પણ વિશેષ સુવિધાઓ

વેકેશનના સમયમાં અંદાજે 3 લાખ જેટલા પ્રવાસીઓ મુલાકાત લેતા હોવાથી તેમના માટે પણ વ્યવસ્થા કરવામાં આવી છે. મુલાકાતીઓ માટે ઝૂ સવારે 9થી સાંજના 7 વાગ્યા સુધી ખુલ્લું રાખવામાં આવે છે. પ્રવાસીઓ માટે પાણીની પરબ, ઠંડક માટે એર કૂલર, ગ્રીન નેટનો છાયડો અને વોટર પોઈન્ટ્સ ઉપલબ્ધ છે.

છેલ્લા 5 વર્ષમાં કાંકરિયા ઝૂની 77.72 લાખથી વધુ લોકોએ મુલાકાત લીધી છે. પર્યટનને વધુ વેગ આપવા માટે હાલ ‘વોક ઈન એવરી’ બનાવવાની કામગીરી ચાલુ છે અને નવા પ્રાણીઓ લાવવાની પ્રક્રિયા પણ તેજ કરવામાં આવી છે. મુલાકાતીઓની સુવિધા માટે ઓનલાઈન ટિકિટિંગ અને ઝૂ ગાઈડની વ્યવસ્થા પણ રાખવામાં આવેલી છે.



G METRO NEWS

G METRO NEWS

Related Posts

ચૈતર વસાવાને કાવતરું ઘડીને સજા કરાવાઈ હોવાનો કેજરીવાલનો આરોપ, જાણો ભાજપ-કોંગ્રેસે શું કહ્યું | gujar…
GUJARAT

ચૈતર વસાવાને કાવતરું ઘડીને સજા કરાવાઈ હોવાનો કેજરીવાલનો આરોપ, જાણો ભાજપ-કોંગ્રેસે શું કહ્યું | gujar…

June 23, 2026
અમદાવાદ: નવરંગપુરા મેટ્રો બ્રિજ નીચે પાર્ક કરેલી કારમાંથી યુવકનો શંકાસ્પદ હાલતમાં મૃતદેહ મળ્યો, FSLન…
GUJARAT

અમદાવાદ: નવરંગપુરા મેટ્રો બ્રિજ નીચે પાર્ક કરેલી કારમાંથી યુવકનો શંકાસ્પદ હાલતમાં મૃતદેહ મળ્યો, FSLન…

June 23, 2026
ખાનગી શિક્ષણમાં મોંઘવારીની અસરઃ વડોદરા જિલ્લામાં 7 વર્ષમાં 7755 વિદ્યાર્થીઓ સરકારી સ્કૂલમાં પાછા ફર્…
GUJARAT

ખાનગી શિક્ષણમાં મોંઘવારીની અસરઃ વડોદરા જિલ્લામાં 7 વર્ષમાં 7755 વિદ્યાર્થીઓ સરકારી સ્કૂલમાં પાછા ફર્…

June 23, 2026
Next Post
વિજયના શપથ પર ‘ગ્રહણ’: ધારાસભ્ય ગુમ, નકલી સહી અને હોર્સ-ટ્રેડિંગના આરોપો બાદ રાષ્ટ્રપતિ શાસનની અટકળો…

વિજયના શપથ પર 'ગ્રહણ': ધારાસભ્ય ગુમ, નકલી સહી અને હોર્સ-ટ્રેડિંગના આરોપો બાદ રાષ્ટ્રપતિ શાસનની અટકળો...

વડોદરામાં કાલાઘોડા સર્કલ પાસે રાત્રે એસટી બસ અને ટ્રેલર વચ્ચે અકસ્માત મુસાફરોનો બચાવ | Accident betw…

વડોદરામાં કાલાઘોડા સર્કલ પાસે રાત્રે એસટી બસ અને ટ્રેલર વચ્ચે અકસ્માત મુસાફરોનો બચાવ | Accident betw...

કૃષિપ્રધાન દેશ ભારતમાં દરરોજ 28 ખેડૂત-ખેતમજૂરોના આપઘાત, NCRBના રિપોર્ટમાં ધડાકો | NCRB Report 28 Far…

કૃષિપ્રધાન દેશ ભારતમાં દરરોજ 28 ખેડૂત-ખેતમજૂરોના આપઘાત, NCRBના રિપોર્ટમાં ધડાકો | NCRB Report 28 Far...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

ગુજરાતમાં કુપોષણને લીધે 6 વર્ષમાં 1.13 લાખ નવજાત બાળકોએ કાયમ માટે આંખ મીચી દીધી | gujarat malnutriti…

ગુજરાતમાં કુપોષણને લીધે 6 વર્ષમાં 1.13 લાખ નવજાત બાળકોએ કાયમ માટે આંખ મીચી દીધી | gujarat malnutriti…

3 months ago
કોણ છે મૌલાના તૌકીર, જેના કહેવા પર બરેલીમાં થઈ બબાલ, જાણો સમગ્ર મામલો | who is maulana tauqeer barei…

કોણ છે મૌલાના તૌકીર, જેના કહેવા પર બરેલીમાં થઈ બબાલ, જાણો સમગ્ર મામલો | who is maulana tauqeer barei…

9 months ago
દિલ્હીમાં પ્રદૂષણની ગંભીર સ્થિતિ વચ્ચે 50% માટે વર્ક ફ્રોમ હોમ ફરજિયાત, આ લોકોના ખાતામાં 10-10 હજાર …

દિલ્હીમાં પ્રદૂષણની ગંભીર સ્થિતિ વચ્ચે 50% માટે વર્ક ફ્રોમ હોમ ફરજિયાત, આ લોકોના ખાતામાં 10-10 હજાર …

6 months ago
SEBI એ વિદેશી રોકાણકારોને આપી મોટી રાહત, ડિસ્ક્લોઝર થ્રેસોલ્ડ વધારી રૂ. 50000 કરોડ કરી | sebi board …

SEBI એ વિદેશી રોકાણકારોને આપી મોટી રાહત, ડિસ્ક્લોઝર થ્રેસોલ્ડ વધારી રૂ. 50000 કરોડ કરી | sebi board …

1 year ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

Follow Us

Recommended

ગુજરાતમાં કુપોષણને લીધે 6 વર્ષમાં 1.13 લાખ નવજાત બાળકોએ કાયમ માટે આંખ મીચી દીધી | gujarat malnutriti…

ગુજરાતમાં કુપોષણને લીધે 6 વર્ષમાં 1.13 લાખ નવજાત બાળકોએ કાયમ માટે આંખ મીચી દીધી | gujarat malnutriti…

3 months ago
કોણ છે મૌલાના તૌકીર, જેના કહેવા પર બરેલીમાં થઈ બબાલ, જાણો સમગ્ર મામલો | who is maulana tauqeer barei…

કોણ છે મૌલાના તૌકીર, જેના કહેવા પર બરેલીમાં થઈ બબાલ, જાણો સમગ્ર મામલો | who is maulana tauqeer barei…

9 months ago
દિલ્હીમાં પ્રદૂષણની ગંભીર સ્થિતિ વચ્ચે 50% માટે વર્ક ફ્રોમ હોમ ફરજિયાત, આ લોકોના ખાતામાં 10-10 હજાર …

દિલ્હીમાં પ્રદૂષણની ગંભીર સ્થિતિ વચ્ચે 50% માટે વર્ક ફ્રોમ હોમ ફરજિયાત, આ લોકોના ખાતામાં 10-10 હજાર …

6 months ago
SEBI એ વિદેશી રોકાણકારોને આપી મોટી રાહત, ડિસ્ક્લોઝર થ્રેસોલ્ડ વધારી રૂ. 50000 કરોડ કરી | sebi board …

SEBI એ વિદેશી રોકાણકારોને આપી મોટી રાહત, ડિસ્ક્લોઝર થ્રેસોલ્ડ વધારી રૂ. 50000 કરોડ કરી | sebi board …

1 year ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..
  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News