
Andhra Pradesh Bus Accident: આંધ્રપ્રદેશમાં એક મોટો માર્ગ અકસ્માત થયો છે. ચિત્તૂરમાં 35 મુસાફરો ભરેલી બસ ખીણમાં પડી ગઈ હતી. આ અકસ્માતમાં અત્યાર સુધીમાં 9 લોકોના મોત થઈ ચુક્યા છે. વળી, ઈજાગ્રસ્તોને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. માર્ગ પરથી પસાર થતા એક વ્યક્તિએ પોલીસને અકસ્માતની સૂચના આપી હતી. પોલીસે જાણકારી મળતાની સાથે જ ઘટનાસ્થળે પહોંચી બચાવ કામગીરી હાથ ધરી હતી અને ઈજાગ્રસ્તોને હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા.










