![]()
13 કિલો બિન આરોગ્યપ્રદ ખોરાકનો જથ્થો નાશ કરાયો
પીપળાવના આશાપુરી માતાજી મંદિર, લાંભવેલમાં હનુમાનજી મંદિર પરિસરમાં લારી ગલ્લા પર ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગનું ચેકિંગ
આણંદ: આણંદ જિલ્લાના પીપળાવના આશાપુરી માતાજી મંદિર, લાંભવેલ હનુમાન મંદિર પરિસર અને બોચાસરના સ્વામિનારાયણ મંદિરની આસપાસની લારી ગલ્લા પર ખાદ્ય પદાર્થનું ચેકિંગ કરવામાં આવ્યું છે. જેમાં ૧૩ કિલો બિન આરોગ્યપ્રદ ખોરાકનો નાશ કરાયો છે અને ખાદ્ય પદાર્થના ૧૭ નમૂના લેવામાં આવ્યા છે અને ૧૩ કિલો બિન આરોગ્યપ્રદ ખોરાકનો નાશ કરવામાં આવ્યો છે.
આણંદ જિલ્લાના યાત્રાધામ અને પ્રવાસન સ્થળો પર ખાદ્ય પદાર્થોના ટેસ્ટિંગ કરવા બાબતે ખોરાક અને ઔષધ નિયમન તંત્ર દ્વારા ઝુંબેશ હાથ ધરવામાં આવી છે. પીપળાવ પાસેના આશાપુરા માતાજીના મંદિર પરિસરની આસપાસ ખાદ્ય પદાર્થોનું વેચાણ કરતા લારી ગલ્લાઓની તપાસ કરવામાં આવી હતી અને આ ઉપરાંત યોગ્ય સાફ સફાઇ રાખે, ગ્લોજ પહેરી, કેપ પહેરી અને ફૂડ અને સેફ્ટીના કાયદાનું પાલન અંગે જાણ કારી આપી હતી.
ફૂડ સેફ્ટી ઓફિસરો દ્વારા પ્રમુખ સ્વામી મહારાજ પાપડીનો લોટ અને ખીચું, દેરાણી જેઠાણી પાપડીનો લોટ, જય ખોડીયાર પાણીપુરીઅને ભેળ, સત કેવલ પાણીપુરી, દરબાર ટી સેન્ટર, જય આશાપુરી પાપડીનો લોટ. જલારામ પાપડીનો લોટ, જય મહાકાલી નાસ્તા હાઇટ, પટેલ ગોટા હાઉસ અને જે.કે. નાસ્તા હાઉસ ખાતે તપાસ કરવામાં આવી હતી. જેમાં ખાદ્ય પદાર્થના ૬ નમૂના લેવામાં આવ્યા છે.
લાંભવેલ હનુમાનજીના મંદિરની આજુબાજુ સાત લારી ગલ્લા દુકાનનોની તપાસ કરીને ૪ નમૂના મેળવામાં આવ્યા છે. બોચાસણની સ્વામિનારાયણ મંદિરની આજુબાજુમાં આવેલા લારી પાનના ગલ્લા, બેકરી મળીને ૧૦ પેઢીમાં તપાસ કરવામાં આવી હતી અને જેમાંથી ૭ નમૂના લેવામાં આવ્યા છે. જયારે પાઉનો એક પેકેટનો જથ્થો બિન આરોગ્યપ્રદ જણાઇ આવતા સ્થળ પર નાશ કરવામાં આવ્યો છે.
પાણીપુરીનો માવો અને પાણીપુરીનું પાણી ૧૪ કિલો બિન આરોગ્યપ્રદ જણાતા નાશ કરવામાં આવ્યો છે. આ ઉપરાંત
પાણીપુરીનો માવો અને પાણીપુરી નું પાણી ૧૩ કિલો જેટલો બિન આરોગ્યપ્રદ જણા હતા તેનું નાશ કરવામાં આવ્યો હતો. આ ઉપરાંત જહા બનાવવાના સાધનોની યોગ્ય સફાઈ રાખવા જણાવવામાં આવ્યું હતું અને નાસ્તા હાઉસ ખાતે જરૂરિયાત પૂરતો તાજો નાસ્તો બનાવીને પીરસવા માટે સૂચવ્યું હતું.
ફૂડ સેફટી ઓફિસર દ્વારા નમુનાઓ પૃથ્થકરણ અર્થે સરકારી ખાદ્ય પ્રયોગશાળા ખાતે મોકલવામાં આવેલ છે. જેનો અહેવાલ આવ્યા બાદ આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવશે.










