gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

આધુનિક ગરબા વચ્ચે 200 વર્ષ જૂની ‘ઘેરૈયા’ પરંપરા અકબંધ, જાણો સુરતીઓ આદિવાસી રાસને કેમ ગણે છે શુકનિયાળ…

G METRO NEWS by G METRO NEWS
September 26, 2025
in GUJARAT
0 0
0
આધુનિક ગરબા વચ્ચે 200 વર્ષ જૂની ‘ઘેરૈયા’ પરંપરા અકબંધ, જાણો સુરતીઓ આદિવાસી રાસને કેમ ગણે છે શુકનિયાળ…
0
VIEWS
Share on FacebookShare on Twitter


Navratri 2025, Surat : એક તરફ જ્યાં સુરત મેટ્રો સિટી બનવા તરફ આગળ વધી રહ્યું છે, અને યુવાનો દોઢિયા-પોપટિયા જેવા આધુનિક ગરબામાં મશગૂલ છે, ત્યારે બીજી તરફ આદિવાસી સમાજની 200 વર્ષ કરતાં પણ વધુ જૂની પરંપરા, ‘ઘેરૈયા રાસ’ આજે પણ જીવંત છે. આધુનિક નવરાત્રિના માહોલ વચ્ચે પણ સુરતના કોટ વિસ્તાર અને આસપાસના ગામોમાં ઘેરૈયાઓનો રાસ જોવા મળી રહ્યો છે. સૌથી રસપ્રદ વાત એ છે કે, આજના આધુનિક યુગમાં પણ સુરતીઓ આ પરંપરાગત ઘેરૈયાને શુકનિયાળ માની સન્માન સાથે પોતાના ઘરે ગરબા ગવડાવે છે.

આદિવાસી સમાજની 200 વર્ષ જૂની પરંપરા ‘ઘેરૈયા રાસ’

નવરાત્રિનો માહોલ પૂરબહારમાં ખીલ્યો છે અને લોકો જુદી જુદી રીતે માતાજીની આરાધના કરી રહ્યા છે. મૂળ સુરતીઓ અને નજીકના ગામોના લોકો ઘેરૈયાઓને ઘરઆંગણે બોલાવીને માતાજીની ભક્તિ કરે છે. સુરતના કોસાડ વિસ્તારમાં છેલ્લા ઘણા વર્ષોથી આ પરંપરા જોવા મળે છે. કોસાડના બાવળ ફળિયામાં રહેતા આશાબેન પટેલ કહે છે, “અમારા ગામમાં પેઢી દર પેઢીથી ઘેરૈયાઓને બોલાવીને તેમનું સન્માન કરવામાં આવે છે.”

આધુનિક ગરબા વચ્ચે 200 વર્ષ જૂની 'ઘેરૈયા' પરંપરા અકબંધ, જાણો સુરતીઓ આદિવાસી રાસને કેમ ગણે છે શુકનિયાળ 2 - image

તેઓ વધુમાં કહે છે કે, “ઘેરૈયાઓની ટુકડીમાં એક પણ મહિલા હોતી નથી. આ નૃત્ય શક્તિની આરાધના ઉપરાંત અન્ય પ્રસંગોએ પણ કરવામાં આવે છે, જેમ કે કોઈના મૃત્યુ સમયે અથવા બાળકનો જન્મ થયો હોય ત્યારે. ઘેરૈયાનો પોશાક અર્ધનારેશ્વર જેવો હોય છે. પુરુષો જ સાડી અને બ્લાઉઝ પહેરીને ઘેર રમે છે. અમારા વડીલોની માન્યતા હતી કે આ લોકો ઘર કે આંગણામાં ગરબા રમે તો આશીર્વાદ મળે છે, જે આજે પણ અમે માનીએ છીએ. આ ઘેરૈયા ગ્રૂપમાં ‘બ્લેક બિલ્લી’ નામનું પાત્ર હોય છે જે ઘરમાં ફરીને પીંછી મારે છે, જેથી અસુરી શક્તિનો નાશ થાય છે.” આ માન્યતાના કારણે આજે પણ આ પરંપરા જોવા મળે છે અને સુરતીઓ તેમને સન્માનપૂર્વક આવકારીને પૈસા પણ આપે છે.

ઘેરૈયા ટુકડીનો નાયક ‘કવિયો’

આધુનિક યુગમાં પણ આ પરંપરાને જીવંત રાખવામાં કદર કરનારા સુરતીઓ અને કલાકારોનો મોટો ફાળો છે. ઘેરૈયા ટુકડીમાં એક નાયક હોય છે, જેને કવિયો કહેવામાં આવે છે. આ કવિયો આદિવાસી ભાષામાં ગીત ગાય છે અને ટુકડીના અન્ય સભ્યો તેને ઝીલે છે. ઘેરમાં એક ‘ઘોડીવાળો’ પાત્ર પણ હોય છે, જે લાકડી પર ઘોડાનું માથું બાંધીને બે પગ વચ્ચે રાખી ઘોડેસવારની જેમ ફરે છે. આ ઉપરાંત, જોકર જેવું પાત્ર પણ હોય છે જે લોકોનું મનોરંજન પૂરું પાડે છે.

આ પણ વાંચો: એક જ શહેરમાં સ્ત્રી શક્તિનો વિરોધાભાસ: સુરતના કેટલાક મંદિરોમાં મહિલા પૂજારી, તો ક્યાંક મંદિરમાં પ્રવેશ પર જ પ્રતિબંધ

ઘેરૈયા આવે તો આખું વર્ષ સુખમય રહે છે

આજે પણ સુરતના અનેક લોકોમાં એવી માન્યતા પ્રવર્તે છે કે જો ઘેરૈયા મંડળી ઘરના આંગણે આવીને રાસ રમે તો આખું વર્ષ સુખમય અને શાંતિપૂર્ણ રહે છે. આ માન્યતાને કારણે સોસાયટી કે શેરીઓમાં ઘેરૈયા આવે ત્યારે કેટલાક લોકો તેમને વિશેષ ભેટ આપીને પોતાના ઘરમાં પણ રમાડે છે. આ ઉપરાંત, ઘેરૈયાઓ ઘરમાં રમી જાય તો નજર લાગતી નથી તેવી પણ માન્યતા છે. આ કારણોસર, આદિવાસી સમાજની આ પ્રાચીન પરંપરા આજે પણ સુરતમાં જીવંત છે.



G METRO NEWS

G METRO NEWS

Related Posts

જલપરી સેક્શનમાં ‘નો એન્ટ્રી’માંથી પ્રવેશ મુદ્દે મારામારી | Fight over entry from ‘no entry’ in Jalpa…
GUJARAT

જલપરી સેક્શનમાં ‘નો એન્ટ્રી’માંથી પ્રવેશ મુદ્દે મારામારી | Fight over entry from ‘no entry’ in Jalpa…

May 11, 2026
ભાવનગર રેલવે મંડળના જૂનાગઢ સ્ટેશન ખાતે સાંસ્કૃતિક સંધ્યા કાર્યક્રમનું આયોજન
GUJARAT

ભાવનગર રેલવે મંડળના જૂનાગઢ સ્ટેશન ખાતે સાંસ્કૃતિક સંધ્યા કાર્યક્રમનું આયોજન

May 11, 2026
મહાન યોદ્ધા મહારાણા પ્રતાપસિંહની 486મી જન્મજયંતિની અમદાવાદમાં ભવ્ય ઉજવણી કરાઈ
GUJARAT

મહાન યોદ્ધા મહારાણા પ્રતાપસિંહની 486મી જન્મજયંતિની અમદાવાદમાં ભવ્ય ઉજવણી કરાઈ

May 11, 2026
Next Post
‘પાણીના ગ્લાસના કારણે 80 દિવસ જેલવાસ ભોગવ્યો…’, ચૈતર વસાવાની CCTV હેઠળ જ મિટિંગ યોજવાની માગ | Dedi…

'પાણીના ગ્લાસના કારણે 80 દિવસ જેલવાસ ભોગવ્યો...', ચૈતર વસાવાની CCTV હેઠળ જ મિટિંગ યોજવાની માગ | Dedi...

બોટાદનો રેલવે અંડરબ્રિજ બન્યો ‘સ્વિમિંગ પુલ,’ વગર વરસાદે પાણી ભરેલું રહેતા સામાજિક કાર્યકરોનો અનોખો …

બોટાદનો રેલવે અંડરબ્રિજ બન્યો 'સ્વિમિંગ પુલ,' વગર વરસાદે પાણી ભરેલું રહેતા સામાજિક કાર્યકરોનો અનોખો ...

અમેરિકા સાથે ટેરિફ વિવાદનો ટૂંક સમયમાં જ આવશે ઉકેલ! કેન્દ્ર સરકારે આપી માહિતી

અમેરિકા સાથે ટેરિફ વિવાદનો ટૂંક સમયમાં જ આવશે ઉકેલ! કેન્દ્ર સરકારે આપી માહિતી

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

લોધિકામાં ત્રણ કારખાનામાંથી રૂ. 25 લાખની નકલી જંતુનાશક દવાઓ કબ્જે | Fake pesticides worth Rs 25 lakh…

લોધિકામાં ત્રણ કારખાનામાંથી રૂ. 25 લાખની નકલી જંતુનાશક દવાઓ કબ્જે | Fake pesticides worth Rs 25 lakh…

2 months ago
UGC વિવાદનો મામલો સુપ્રીમ કોર્ટમાં પહોંચ્યો, જાણો કેન્દ્ર સરકારે શું જવાબ આપ્યો | UGC Equity Regulat…

UGC વિવાદનો મામલો સુપ્રીમ કોર્ટમાં પહોંચ્યો, જાણો કેન્દ્ર સરકારે શું જવાબ આપ્યો | UGC Equity Regulat…

3 months ago
જામનગર સરકારી જી.જી. હોસ્પિટલના તંત્રની સફાઈના મામલે ભારે નિષ્કાળજી : ગંદકીથી દર્દીઓ પરેશાન | Jamnag…

જામનગર સરકારી જી.જી. હોસ્પિટલના તંત્રની સફાઈના મામલે ભારે નિષ્કાળજી : ગંદકીથી દર્દીઓ પરેશાન | Jamnag…

3 days ago
અમદાવાદમાં 15 દિવસમાં બે લાખ રિક્ષાની પોલીસમાં નોંધણી કરી સ્ટીકર લગાવવા કમિશનરનો આદેશ | Ahmedabad Po…

અમદાવાદમાં 15 દિવસમાં બે લાખ રિક્ષાની પોલીસમાં નોંધણી કરી સ્ટીકર લગાવવા કમિશનરનો આદેશ | Ahmedabad Po…

6 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

Follow Us

Recommended

લોધિકામાં ત્રણ કારખાનામાંથી રૂ. 25 લાખની નકલી જંતુનાશક દવાઓ કબ્જે | Fake pesticides worth Rs 25 lakh…

લોધિકામાં ત્રણ કારખાનામાંથી રૂ. 25 લાખની નકલી જંતુનાશક દવાઓ કબ્જે | Fake pesticides worth Rs 25 lakh…

2 months ago
UGC વિવાદનો મામલો સુપ્રીમ કોર્ટમાં પહોંચ્યો, જાણો કેન્દ્ર સરકારે શું જવાબ આપ્યો | UGC Equity Regulat…

UGC વિવાદનો મામલો સુપ્રીમ કોર્ટમાં પહોંચ્યો, જાણો કેન્દ્ર સરકારે શું જવાબ આપ્યો | UGC Equity Regulat…

3 months ago
જામનગર સરકારી જી.જી. હોસ્પિટલના તંત્રની સફાઈના મામલે ભારે નિષ્કાળજી : ગંદકીથી દર્દીઓ પરેશાન | Jamnag…

જામનગર સરકારી જી.જી. હોસ્પિટલના તંત્રની સફાઈના મામલે ભારે નિષ્કાળજી : ગંદકીથી દર્દીઓ પરેશાન | Jamnag…

3 days ago
અમદાવાદમાં 15 દિવસમાં બે લાખ રિક્ષાની પોલીસમાં નોંધણી કરી સ્ટીકર લગાવવા કમિશનરનો આદેશ | Ahmedabad Po…

અમદાવાદમાં 15 દિવસમાં બે લાખ રિક્ષાની પોલીસમાં નોંધણી કરી સ્ટીકર લગાવવા કમિશનરનો આદેશ | Ahmedabad Po…

6 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..
  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News