gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

આવકવેરાના રિટર્નની ભૂલ સુધારી લેવાની કાર્યવાહી હવે CPC બેન્ગલોર કરશે | New notification by CBDT

G METRO NEWS by G METRO NEWS
October 28, 2025
in GUJARAT
0 0
0
આવકવેરાના રિટર્નની ભૂલ સુધારી લેવાની કાર્યવાહી હવે CPC બેન્ગલોર કરશે | New notification by CBDT
0
VIEWS
Share on FacebookShare on Twitter



(પ્રતિનિધિ તરફથી) અમદાવાદ,મંગળવાર

આવકવેરાના રિટર્નમાં કોઈ ભૂલ થઈ હોય અને સીપીસી બેન્ગ્લોરના માધ્યમથી આકારણી અધિકારી સુધી કેસ પહોંચાડવામાં આવ્યો હોય તેવા કિસ્સાઓમાં હવે આકારણી અધિકારી ભૂલ સુધારણાનું કામ કરશે નહિ, તેને બદલે ભૂલ સુધારણાની કામગીરી સેન્ટ્રલ પ્રોસેસિંગ સેન્ટર-સીપીસી બેન્ગ્લોરના અધિકારીઓને જ આપી દેવાનો નિર્ણય કરતો પરિપત્ર ૨૭મી ઓક્ટોબરે સેન્ટ્રલ બોર્ડ ઓફ ડાયરેક્ટ ટેક્સિસે કર્યો છે.પરિણાામે કરદાતાઓ માટે રિટર્નમાં રહી ગયેલી ભૂલ સુધારવાની કામગીરી અત્યંત સરળ બની જશે.

કરદાતા રિટર્ન ફાઈલ કરે તે પછી તેના રિટર્નની પ્રોસેસ કરવા માટે સીપીસી બેન્ગ્લોર મોકલવામાંમ આવે છે. આ રિટર્નનું પ્રોસેસ કરીને કરદાતાની ટેક્સ ભરવાની કે રિફંડ મેળવવાની જવાબદારી નક્કી કરવામાં આવે છે. રિટર્નનું પ્રોસેસ કરતી વખતે ટીડીએસના આંકડાઓ મિસમેચ થાય કે બીજી કોઈ અનિયમિતતા દેખાય તો કે પછી ટેક્સની રકમ જમા કરાવ્યાનું ચલણ ન જોવા મળે તો તેવા સંજોગોમાં ટેક્સમાંથી તે ડિડક્શન આપવાની ના પાડી દઈને સીપીસી બેન્ગલોર કરદાતાઓને કલમ ડિમાન્ડ નોટિસ કરદાતાને મોકલી આપે છે. રિટર્નમાં રહી ગયેલી ક્ષતિની જાણકારી પણ કરદાતાને મોકલી આપે છે.

આ સ્થિતિમાં કરદાતાએ આવકવેરાની કલમ ૧૫૪ હેઠળ ભૂલ સુધારણા-રેક્ટિફિકેશન ઓફ મિસ્ટેક માટેની અરજી કરવાની આવે છે. આ અરજી સીપીસી બેન્ગ્લોરને ઓનલાઈન આપવાની હોય છે. આ તબક્કે સીપીસી બેન્ગ્લોર અવે દલીલ કરે છેકે આ રિટર્નમાં ભૂલ સુધારણા કરવાનું અમારા કાર્યક્ષેત્રમાં આવતું નથી. આ જવાબ આપીને સીપીસી બેન્ગ્લોર કરદાતાના કાર્યક્ષેત્રના આકારણી અધિકારીને તેના રિટર્નની કોપી અને તેની સાથે કરેલા પત્રવ્યવહારની વિગતો મોકલી આપે છે.  તેમ જ કરદાતાને જે તે આકારણી અધિકારીનો સંપર્ક કરવાની સૂચના પણ મોકલી આપે છે. આકારણી અધિકારીએ રિટર્નની ભૂલ સુધારી આપવાની કામગીરી કરી આપવાની હોય છે.

કરદાતાઓ આકારણી અધિકારીને મળીને સીપીસી બેન્ગ્લોરે કાઢેલી ડિમાન્ડ નોટિસના અનુસંધાનમાં પોતાના ડિડક્શનનો ક્લેઈમ સાચા હોવાના પુરવાઓ રજૂ કરે છે. છતાંય આકારણી અધિકારીઓ કરદાતાએ રજૂ કરેલા પુરાવાઓ માન્ય રાખતા નહોતા. જોકે કેટલાક આકરણી અધિકારીઓ પુરાવાઓ માન્ય રાખીને રિટર્નમાં સુધારા કરી આપતા હતા. આ લાંબી જફામાંથી કરદાતાને મુક્તિ આપતો ઓર્ડર સીબીડીટીએ ૨૭મી ઓક્ટોબરે કર્યો છે. આ નોટિફિકેશનના માધ્યમથી રિટર્નમાં સુધારો કરવાની સત્તા સીપીસી બેન્ગ્લોરના અધિકારીઓને જ આપી દેવામાં આવી છે. પરિણામે સીપીસી બેન્ગ્લોરમાંથી કેસ આકારણી અધિકારી પાસે ટ્રાન્સફર થશે નહિ અને આકારણી અધિકારીને રિટર્ન ભરનાર કરદાતાએ મળવું પડશે. 

તેને બદલે કરદાતાઓ ડિમાન્ડ નોટિસના સંદર્ભમાં પોતાની પાસેના ડિડક્શનના ક્લેઈમના પુરાવાઓ સીધા સીપીસી બેન્ગ્લોરને મોકલી આપવાના રહેશે. બેન્ગ્લોરના અધિકારીઓને યોગ્ય લાગશે તો તે ડિડક્શનના પુરાવાઓ સ્વીકારી લઈને રિટર્નમાં થયેલી ભૂલ સુધારી લેશે. આકારણી અધિકારી પાસે જવાની જફામાંથી કરદાતાને મુક્તિ મળી જશે.



G METRO NEWS

G METRO NEWS

Related Posts

બીસીએ ચૂંટણીના પરિણામોની આતુરતાથી જોવાતી રાહ | BCA eagerly awaits election results
GUJARAT

બીસીએ ચૂંટણીના પરિણામોની આતુરતાથી જોવાતી રાહ | BCA eagerly awaits election results

May 8, 2026
વરસાદી કાંસમાં કાટમાળ ઠલવાતા ચોમાસામાં પૂરની ભીતિ | Fear of flooding in monsoon as debris falls in r…
GUJARAT

વરસાદી કાંસમાં કાટમાળ ઠલવાતા ચોમાસામાં પૂરની ભીતિ | Fear of flooding in monsoon as debris falls in r…

May 8, 2026
ધોરણ-10ના પરિણામ બાદ ગુણચકાસણીની પ્રક્રિયા શરૂ: 15 મે સુધી કરી શકાશે ઓનલાઇન અરજી | GSEB SSC Result 2…
GUJARAT

ધોરણ-10ના પરિણામ બાદ ગુણચકાસણીની પ્રક્રિયા શરૂ: 15 મે સુધી કરી શકાશે ઓનલાઇન અરજી | GSEB SSC Result 2…

May 8, 2026
Next Post
કુદરતનો કેર: આંધ્રમાં વાવાઝોડું ત્રાટકતા ભારે તારાજી

કુદરતનો કેર: આંધ્રમાં વાવાઝોડું ત્રાટકતા ભારે તારાજી

બ્રિટનમાં ભારતીય યુવતી પર વંશીય દાજ રાખી બળાત્કાર, લોકોમાં ભય

બ્રિટનમાં ભારતીય યુવતી પર વંશીય દાજ રાખી બળાત્કાર, લોકોમાં ભય

જુઠા આરોપોમાં 12 વર્ષ કેદ રહ્યો, સુપ્રીમમાં વળતર માગ્યું

જુઠા આરોપોમાં 12 વર્ષ કેદ રહ્યો, સુપ્રીમમાં વળતર માગ્યું

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

વડોદરામાં પ્રતાપપુરા સરોવરમાંથી 3,472 ક્યુસેક પાણી વિશ્વામિત્રી નદીમાં છોડાયું : વિશ્વામિત્રી નદીની …

વડોદરામાં પ્રતાપપુરા સરોવરમાંથી 3,472 ક્યુસેક પાણી વિશ્વામિત્રી નદીમાં છોડાયું : વિશ્વામિત્રી નદીની …

8 months ago
વોટ ચોરી વિરુદ્ધ રાહુલ ગાંધી સહિત 300 સાંસદ સંસદથી ચૂંટણીપંચના કાર્યાલય સુધી કરશે કૂચ | india allian…

વોટ ચોરી વિરુદ્ધ રાહુલ ગાંધી સહિત 300 સાંસદ સંસદથી ચૂંટણીપંચના કાર્યાલય સુધી કરશે કૂચ | india allian…

9 months ago
રાજગઢ ગામ આજની તારીખે પણ એસ.ટી.બસની સેવાથી વંચિત | Rajgadh village is still deprived of ST bus servi…

રાજગઢ ગામ આજની તારીખે પણ એસ.ટી.બસની સેવાથી વંચિત | Rajgadh village is still deprived of ST bus servi…

4 weeks ago
જામનગરમાં વાઘેરવાડા વિસ્તારમાં રહેતી બે બહેનો પર જૂની અદાવતના કારણે પાડોશીએ હુમલો કર્યાની પોલીસ ફરિય…

જામનગરમાં વાઘેરવાડા વિસ્તારમાં રહેતી બે બહેનો પર જૂની અદાવતના કારણે પાડોશીએ હુમલો કર્યાની પોલીસ ફરિય…

6 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

Follow Us

Recommended

વડોદરામાં પ્રતાપપુરા સરોવરમાંથી 3,472 ક્યુસેક પાણી વિશ્વામિત્રી નદીમાં છોડાયું : વિશ્વામિત્રી નદીની …

વડોદરામાં પ્રતાપપુરા સરોવરમાંથી 3,472 ક્યુસેક પાણી વિશ્વામિત્રી નદીમાં છોડાયું : વિશ્વામિત્રી નદીની …

8 months ago
વોટ ચોરી વિરુદ્ધ રાહુલ ગાંધી સહિત 300 સાંસદ સંસદથી ચૂંટણીપંચના કાર્યાલય સુધી કરશે કૂચ | india allian…

વોટ ચોરી વિરુદ્ધ રાહુલ ગાંધી સહિત 300 સાંસદ સંસદથી ચૂંટણીપંચના કાર્યાલય સુધી કરશે કૂચ | india allian…

9 months ago
રાજગઢ ગામ આજની તારીખે પણ એસ.ટી.બસની સેવાથી વંચિત | Rajgadh village is still deprived of ST bus servi…

રાજગઢ ગામ આજની તારીખે પણ એસ.ટી.બસની સેવાથી વંચિત | Rajgadh village is still deprived of ST bus servi…

4 weeks ago
જામનગરમાં વાઘેરવાડા વિસ્તારમાં રહેતી બે બહેનો પર જૂની અદાવતના કારણે પાડોશીએ હુમલો કર્યાની પોલીસ ફરિય…

જામનગરમાં વાઘેરવાડા વિસ્તારમાં રહેતી બે બહેનો પર જૂની અદાવતના કારણે પાડોશીએ હુમલો કર્યાની પોલીસ ફરિય…

6 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..
  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News