
– રેપ-હત્યા કેસમાં ફાંસીની સજા થઇ હતી અંતે નિર્દોષ છૂટયો
– ખોટા કેસમાં વર્ષો કેદ રાખી બંધારણીય અધિકારોનો ભંગ કરાયો માટે વળતર મળવું જોઇએ તેવી દલીલ
નવી દિલ્હી : રેપ અને હત્યાના એક કેસમાં ૧૨ વર્ષ સુધી કેદ રહ્યા બાદ સુપ્રીમ કોર્ટ દ્વારા એક આરોપીને છોડી મુકવામાં આવ્યો હતો અને નિર્દોષ જાહેર કરાયો હતો. હવે આ આરોપી દ્વારા પોતાને ખોટા કેસમાં વર્ષો સુધી કેદ રાખવા બદલ વળતરની માગ કરતી અરજી કરાઇ છે. જેની સુનાવણી માટે સુપ્રીમ કોર્ટ પણ તૈયાર થઇ ગઇ છે. આવી અન્ય બે અરજીઓની પણ સુનાવણી ચાલી રહી છે.










