gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

આવકવેરા સુધારા બિલ પાછું ખેંચાયું સોમવારે લોકસભામાં ફરી રજૂ કરાશે | Income Tax Amendment Bill withdr…

G METRO NEWS by G METRO NEWS
August 9, 2025
in INDIA
0 0
0
આવકવેરા સુધારા બિલ પાછું ખેંચાયું સોમવારે લોકસભામાં ફરી રજૂ કરાશે | Income Tax Amendment Bill withdr…
0
VIEWS
Share on FacebookShare on Twitter



– સંસદની સિલેક્ટ કમિટીએ 285 સુધારા સૂચવ્યા

– કંપનીઓ વચ્ચે ડિવિડંડની વહેંચણી થાય ત્યારે કલમ 115બીએએ હેઠળ મળતા લાભનો ઉલ્લેખ જ રહી ગયો હતો

અમદાવાદ : સિલેક્ટ કમિટી તરફથી ૨૮૫ જેટલા સુધારાઓ સૂચવવામાં આવ્યા હોવાને કારણે કેન્દ્રના નાણાં ખાતાં ૧૩મી ફેબ્રઆરીએ રજૂ કરેલું ઇન્કમટેક્સ એમેન્ડમેન્ટ બિલ ૨૦૨૫ પાછું ખેંચીને ૧૧મી ઓગસ્ટે સિલેક્ટ કમિટીએ સૂચવેલા સુધારા સાથેનું બિલ રજૂ કરવાનો નિર્ણય કર્યો છે. ૧૯૬૧ના આવકવેરા ધારાને સરળ બનાવીને તેનુ સ્થાન લેવા માટે તૈયાર કરવામાં આવેલા ઇન્કમટેક્સ સુધારા ખરડામાં કાયદાને સરળ બનાવવાનું અને દંડને ઓછો કરવાનું આયોજન કરવામાં આવ્યું છે. સિલેક્ટ કમિટિના વડા બૈજયંત પાંડા તરફથી સંસદમાં રિપોર્ટ રજૂ કરવામાં આવ્યો તે પછી આ નિર્ણય લેવામાં આવ્યો છે.

કંપનીઓ વચ્ચે ડિવિડંડનું વિતરણ કરવાને લગતી કલમ ૮૦ (એમ) અંગે પણ કેટલા સુધારાઓ સૂચવાયા છે. કંપનીઓ વચ્ચે ડિવિડંડની વહેંચણી થાય ત્યારે કલમ ૧૧૫બીએએની જોગવાઈનો લાભ આપવામાં આવતો હતો. આ ડિવિડંડ પર સ્પેેશિયલ રેટ લગાડવામાં આવી રહ્યો છે. ડ્રાફ્ટ બિલમાં આ બાબતનો ઉલ્લેખ કરવાનો જ રહી ગયો હતો. સિલેક્ટ કમિટીએ આ બાબત પરત્વે ધ્યાન દોર્યું હતું. સિલેક્ટ કમિટીએ સૂચવેલા મોટાભાગના સુધારાઓ સમાવી લેવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આ સુધારાઓમાં આવકવેરાના નિયમો કે કલમોનો ભંગ કરવા બદલ અગાઉના બિલમાં બહુ જ મોટી રકમનો દંડ કરવામાં આવતો હતો. હવે આ દંડની રકમ ખાસ્સી ઓછી કરી દેવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. કરદાતા ડયૂ ડેટ પછી તેનું રિટર્ન ફાઈલ કરે તો તેને રિફંડ આપવાની ફેબુ્રઆરીમાં રજૂ કરવામાં આવેલા ખરડામાં ના પાડી દેવામાં આવી હતી. આ રિફંડ આપી દેવાનું સૂચન સિલેક્ટ કમિટીએ જણાવ્યું છે. કરદાતાએ ફ્લેટ ખરીદ્યો હોય અને બાંકામ કામ ફાઈનલ ન થયુ હોય તો પહેલા લોન લઈને હપ્તા ભર્યા હોય તો તે રકમ વેરામાં બાદ આપવામાં આવતી નહોતી. હવે તે રકમ પણ બાદ આપવાની ભલામણ કરવામાં આવી છે. હા, તેને માટે જૂની સિસ્ટમ મુજબ રિટર્ન ફાઈલ કરવાનું આવશે.

સૌ પ્રથમ તો કોઈ વ્યક્તિ ફ્લેટની ખરીદી કરવા માટે બેન્કમાંથી લોનનો ઉપાડ કરે છે. તે પ્રોપર્ટીનું બાંધકામ થાય તે પહેલા જ તેના પર વ્યાજ ચૂકવે છે. વ્યાજની આ રકમ કરદાતાને આવકમાંથી બાદ આપવામાં આવતી નથી. માત્ર પોતાની માલિકીની મિલકતમાં જ લોનના વ્યાજની ચૂકવણીની રકમ આવકમાંથી બાદ આપવામાં આવે છે. સિલેક્ટ કમિટીએ સૂચવેલા મોટા સુધારામાંનો આ એક સુધારો છે. તદુપરાંત મ્યુનિસિપાલટીના વેરાની કપાત કર્યા પછી આપવામાં આવતા ૩૦ ટકા સ્ટાન્ડર્ડ ડિડક્શનનો સ્પષ્ટ ઉલ્લેખ થયેલો હોવો જોઈએ, તેવો આગ્રહ સિલેક્ટ કમિટીએ રાખ્યો છે. આ લાભ ભાડાંની મિલકતના માલિકોને પણ આપવો જોઈએ. 

ચેરિટેબલ ટ્રસ્ટને માટે પણ કેટલાક સુધારા સૂચવવામાં આવ્યા છે. ચેરિટેબલ ટ્રસ્ટને નનામી ડોનેશન આવતું હતું તેના પર ૩૦ ટકાના દરે ટેક્સ લેવાનું ફેબ્આરીમાં રજૂ કરવામાં આવેલા સુધારા ખરડામાં નક્કી કરવામાં આવ્યું હતું. આ સુધારો લાવવાને કારણે ટ્રસ્ટની તકલીફો વધી જવાની શક્યતા દર્શાવવામાં આવી હતી. નાના નાના દાતાઓના નામ અને આધારકાર્ડ  કે પાનકાર્ડ મેળવવા કઠિન હોવાથી તે રકમના દાતાઓની વિગતો આપી શકાય તેમ ન હોવાની દલીલ આગળ કરવામાં આવી હતી. સિલેક્ટ કમિટીએ પણ આ જોગવાઈ ખાસ્સી તકલીફદાયક હોવાનો નિર્દેશ આપ્યો તેને પરિણામે આ જોગવાઈને પણ હળવી કરી દઈને રજૂ કરવાનો નિર્ણય કરવામાં આવ્યો હોવાનું જાણવા મળી રહ્યું છે. નવા સુધારેલા આવકવેરા ધારા ૨૦૨૫ અંગે સમગ્ર દેશમાં ખાસ્સો વિરોધ થયો હતો. આ વિરોધને શમાવવા માટે પ્રસ્તુત નિર્ણય લેવામાં આવ્યો હોવાનું જાણવા મળી રહ્યું છે. 

કેન્દ્રીય વિદેશ બાબતોના મંત્રાલયે માહિતી આપી

2024માં બે લાખથી વધુ લોકોએ ભારતીય નાગરિકતા છોડી

– નાગરિકતા છોડવાના કારણો અંગત હોય છે અને ફક્ત તે જ વ્યકિત જાણે છે : કીર્તિ વર્ધન સિંહ

નવી દિલ્હી : વર્ષ ૨૦૨૪માં બે લાખથી વધુ ભારતીયોએ ભારતીય નાગરિકતાનો ત્યાગ કર્યો છે તેમ સરકારે એક નિવેદનમાં જણાવ્યું છે. 

છેલ્લા પાંચ વર્ષમાં ભારતીય નાગરિકતાનો ત્યાગ કરી અન્ય દેશોની નાગરિકતા મેળવનારા વ્યકિતઓની સંખ્યા અંગે પૂછવામાં આવેલા પ્રશ્રના જવાબમાં કેન્દ્રીય વિદેશ બાબતોના મંત્રાલયના રાજ્ય કક્ષાના પ્રધાન કીર્તિ વર્ધન સિંહે આ માહિતી આપી હતી. 

આ પ્રશ્ર કોંગ્રેસ સાંસદ કે સી વેણુગોપાલ દ્વારા પૂછવામાં આવ્યો હતો. સિંહે જણાવ્યું હતું કે મંત્રાલય પાસે ઉપલબ્ધ માહિતી અનુસાર ભારતીય નાગરિકતાનો ત્યાગ કરનારા ભારતીયોની સંખ્યા ૨૦૨૦માં ૮૫,૨૫૬, ૨૦૨૧માં ૧,૬૩,૩૭૦, ૨૦૨૨માં ૨,૨૫,૬૨૦, ૨૦૨૩માં ૨,૧૬,૨૧૯ અને ૨૦૨૪માં ૨,૦૬,૩૭૮ હતી. 

તેમણે વધુમાં જણાવ્યું હતું કે આવા કેસોની સંખ્યા ૨૦૧૧માં ૧,૨૨,૮૧૯, ૨૦૧૨માં ૧,૨૦,૯૨૩, ૨૦૧૩માં ૧,૩૧,૪૦૫ અને ૨૦૧૪માં ૧,૨૯,૩૨૮ હતી.

સરકારે જણાવ્યું હતું કે ભારતીય નાગરિકતાનો ત્યાગ કરવો અથવા વિદેશી નાગરિકતા લેવાના કારણો અંગત હોય છે અને ફક્ત તે જ વ્યકિત જાણે છે.

પ્રધાને જણાવ્યું હતું કે સરકાર નોલેજ ઇકોનોમીના વિશ્વમાં વૈશ્વિક કાર્યસ્થળની સંભાવનાને જાણે છે. સરકારે પ્રવાસી ભારતીયો  સાથેના પોતાના સંબધોમાં પણ પરિવર્તનકારી ફેરફાર કર્યા છે. એક અન્ય પ્રશ્રના જવાબમાં સરકારે જણાવ્યું હતું કે ઉપલબ્ધ માહિતી અનુસાર પ્રવાસી ભારતીયોની સંખ્યા ૩,૪૩,૫૬,૧૯૩ છે જે પૈકી ૧,૭૧,૮૧,૦૭૧ પર્સન્સ ઓફ ઇન્ડિયન ઓરિજિન (પીઆઇઓ) અને ૧,૭૧,૭૫,૧૨૨ નોન રેસિડન્ટ ઇન્ડિયન્સ (એનઆરઆઇ) છે.



G METRO NEWS

G METRO NEWS

Related Posts

કેરલમમાં મુખ્યમંત્રીની ખુરશી માટે કોંગ્રેસમાં કકળાટ! દિગ્ગજ નેતાની માંગણીથી હાઇકમાન્ડ મૂંઝવણમાં | ke…
INDIA

કેરલમમાં મુખ્યમંત્રીની ખુરશી માટે કોંગ્રેસમાં કકળાટ! દિગ્ગજ નેતાની માંગણીથી હાઇકમાન્ડ મૂંઝવણમાં | ke…

May 11, 2026
‘લોકશાહીને હાઈજેક નહીં કરવા દઈએ’, સુપ્રીમ કોર્ટે ભાજપ ઉમેદવારની કરી આકરી ટીકા, કોંગ્રેસને રાહત | can…
INDIA

‘લોકશાહીને હાઈજેક નહીં કરવા દઈએ’, સુપ્રીમ કોર્ટે ભાજપ ઉમેદવારની કરી આકરી ટીકા, કોંગ્રેસને રાહત | can…

May 11, 2026
ગુજરાતથી અબુ ધાબી સુધી ટ્રેડ રૂટનો પ્લાન! PM મોદીના UAE પ્રવાસ પહેલા ઈરાના વિદેશ મંત્રી આવશે દિલ્હી …
INDIA

ગુજરાતથી અબુ ધાબી સુધી ટ્રેડ રૂટનો પ્લાન! PM મોદીના UAE પ્રવાસ પહેલા ઈરાના વિદેશ મંત્રી આવશે દિલ્હી …

May 11, 2026
Next Post
૪૬ કરોડની છેતરપિંડી કેસમાં વધુ એક આરોપી ઝડપાયો : ત્રણ દિવસના રમાન્ડ | Another accused arrested in Rs…

૪૬ કરોડની છેતરપિંડી કેસમાં વધુ એક આરોપી ઝડપાયો : ત્રણ દિવસના રમાન્ડ | Another accused arrested in Rs...

ત્રણ વર્ષ પછી ડાહપણની દાઢ ફુટી, ડિસિલ્ટીંગ માટે રીસાયકલર મશીનના ભાડા પેટે ૫૦ કરોડ ચૂકવવાનુ ટેન્ડર રદ…

ત્રણ વર્ષ પછી ડાહપણની દાઢ ફુટી, ડિસિલ્ટીંગ માટે રીસાયકલર મશીનના ભાડા પેટે ૫૦ કરોડ ચૂકવવાનુ ટેન્ડર રદ...

સ્થાનિક ઉદ્યોગોને ટેરિફની અસરથી બચાવવા MSME પર નિયમનનો બોજ ઘટાડાશે | Regulatory burden on MSMEs will…

સ્થાનિક ઉદ્યોગોને ટેરિફની અસરથી બચાવવા MSME પર નિયમનનો બોજ ઘટાડાશે | Regulatory burden on MSMEs will...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

ઝાલાવાડમાં વ્યાજખોરો, ખનન માફિયાઓની યાદી બનાવી કાર્યવાહી કરાશેઃ ડીજીપી

ઝાલાવાડમાં વ્યાજખોરો, ખનન માફિયાઓની યાદી બનાવી કાર્યવાહી કરાશેઃ ડીજીપી

7 months ago
આવકવેરા ખાતાએ અમદાવાદના સંખ્યાબંધ જ્વેલર્સને નોટિસ આપી | Sandesara repaymend of all dues

આવકવેરા ખાતાએ અમદાવાદના સંખ્યાબંધ જ્વેલર્સને નોટિસ આપી | Sandesara repaymend of all dues

5 months ago
કાર અકસ્માતમાં કહેવાતા ડ્રાઇવરની ધરપકડ કરાઇ, સગીર સામે કાર્યવાહી | Driver involved in car accident a…

કાર અકસ્માતમાં કહેવાતા ડ્રાઇવરની ધરપકડ કરાઇ, સગીર સામે કાર્યવાહી | Driver involved in car accident a…

1 year ago
કાલાવડના પીપર ગામમાં એક રહેણાંક મકાનમાંથી ઇંગ્લિશ દારૂ પકડાયો : આરોપી ફરાર | English liquor seized f…

કાલાવડના પીપર ગામમાં એક રહેણાંક મકાનમાંથી ઇંગ્લિશ દારૂ પકડાયો : આરોપી ફરાર | English liquor seized f…

8 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

Follow Us

Recommended

ઝાલાવાડમાં વ્યાજખોરો, ખનન માફિયાઓની યાદી બનાવી કાર્યવાહી કરાશેઃ ડીજીપી

ઝાલાવાડમાં વ્યાજખોરો, ખનન માફિયાઓની યાદી બનાવી કાર્યવાહી કરાશેઃ ડીજીપી

7 months ago
આવકવેરા ખાતાએ અમદાવાદના સંખ્યાબંધ જ્વેલર્સને નોટિસ આપી | Sandesara repaymend of all dues

આવકવેરા ખાતાએ અમદાવાદના સંખ્યાબંધ જ્વેલર્સને નોટિસ આપી | Sandesara repaymend of all dues

5 months ago
કાર અકસ્માતમાં કહેવાતા ડ્રાઇવરની ધરપકડ કરાઇ, સગીર સામે કાર્યવાહી | Driver involved in car accident a…

કાર અકસ્માતમાં કહેવાતા ડ્રાઇવરની ધરપકડ કરાઇ, સગીર સામે કાર્યવાહી | Driver involved in car accident a…

1 year ago
કાલાવડના પીપર ગામમાં એક રહેણાંક મકાનમાંથી ઇંગ્લિશ દારૂ પકડાયો : આરોપી ફરાર | English liquor seized f…

કાલાવડના પીપર ગામમાં એક રહેણાંક મકાનમાંથી ઇંગ્લિશ દારૂ પકડાયો : આરોપી ફરાર | English liquor seized f…

8 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..
  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News