![]()
Ahmedabad News : અમદાવાદના મણિનગરમાં આવેલા ટ્રાન્સ્ટેડિયા ખાતે 11 ઓક્ટોબર, 2025ના રોજ 70માં ફિલ્મફેર એવોર્ડનું આયોજન કરવામાં આવ્યુ છે. આ દરમિયાન VIP મૂવમેન્ટ અને ટ્રાફિક હોવાના કારણે તંત્રએ આગામી શનિવારે (11 ઓક્ટોબર) કાંકરિયા બંધ રાખવાનો નિર્ણય કર્યો છે.
મળતી માહિતી મુજબ, ગુજરાતમાં સતત બીજી વખત ફિલ્મફેર એવોર્ડ્સનું આયોજન કરવામાં આવ્યું છે. આ વખતે 70માં ફિલ્મફેર એવોર્ડના આયોજન માટે ટુરિઝમ કોર્પોરેશન અને વર્લ્ડ વાઈડ મીડિયા વચ્ચે કરાર કરવામાં આવ્યા છે. આમ શહેરના મણિનગર વિસ્તારમાં બે દિવસ બાદ ફિલ્મફેર એવોર્ડ્સનું આયોજન છે, તે દિવસે બોલિવૂડના કલાકારો સહિતના સ્ટાર આવવાના છે.
આ પણ વાંચો: દિવાળીના તહેવારમાં ST બસો હાઉસફુલ! 1.74 લાખથી વધુ ટિકિટનું એડવાન્સ બુકિંગ
આ દરમિયાન શહેરમાં ટ્રાફિની સમસ્યા કે અન્ય કોઈ ઘટના ન બને તેને લઈને 11 ઓક્ટોબરે કાંકરિયા બંધ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. જેમાં કાંકરિયા તળાવ, કિડ્સ સિટી, પ્રાણી સંગ્રહાલય સહિત શનિવારના દિવસે બંધ રહેશે.










