અમદાવાદ : ગયા વર્ષે માઇક્રોફાઇનાન્સ ઇન્ડસ્ટ્રી નેટવર્ક (MFIN) દ્વારા લાગુ કરાયેલા કડક પગલાંને પગલે, નાના ધિરાણકર્તાઓ પર દેવાનો બોજ નિયંત્રણમાં આવ્યો છે. જો કે, નોન-બેંકિંગ ફાઇનાન્સિયલ કંપનીઓ (એનબીએફસી) અને ફિનટેક કંપનીઓ હવે આ સેગમેન્ટને ધિરાણ આપી રહી છે, જે નજીકની નિયમનકારી તપાસ હેઠળ છે.
દરમિયાન, માઇક્રોફાઇનાન્સ સંસ્થાઓને ધિરાણ આપવામાં બેંકોની સાવધાનીથી ૨૦૨૪ થી ક્ષેત્રના એકંદર લોન પોર્ટફોલિયોમાં ૨૨% ઘટાડો થયો છે, અને લગભગ ૪૦૦,૦૦૦ દેવાદારોને ઔપચારિક ધિરાણમાંથી બાકાત રાખવામાં આવ્યા છે. આ વર્ષે ૧ એપ્રિલના રોજ લાગુ કરાયેલા ત્રીજા સલામતી પગલાંને પગલે, માઇક્રોફાઇનાન્સ ઇન્ડસ્ટ્રી નેટવર્ક એ પ્રતિ ધિરાણકર્તા માઇક્રોલેન્ડર્સની સંખ્યા ત્રણ સુધી મર્યાદિત કરી હતી.
માઇક્રોફાઇનાન્સ ઇન્ડસ્ટ્રી નેટવર્ક દ્વારા સંકલિત ડેટા દર્શાવેછે કે ૮૮.૭% સૂક્ષ્મ ઋણધારકો પાસે બે કે તેથી ઓછા ધિરાણકર્તા હતા, અને ફક્ત ૬.૭% પાસે ત્રણ હતા. અગાઉ, દરેક ઉધાર લેનારા પાસે પાંચ કે તેથી વધુ ધિરાણકર્તા હતા.
ડેટા એ પણ દર્શાવે છે કે ૭૩% ગ્રાહકો પાસે રૂા. ૬૦,૦૦૦ થી ઓછી રકમની લોન બાકી છે, જ્યારે ૨૦.૩% ગ્રાહકો પાસે રૂા. ૬૦,૦૦૦ થી રૂા. ૧.૨ લાખ વચ્ચેની લોન છે. ૫.૭% ગ્રાહકો પાસે રૂા. ૧.૨ લાખ અને રૂા. ૨ લાખ વચ્ચેની લોન બાકી છે.










