![]()
,સ્વચ્છ ભારત મિશન અર્બન-ગુજરાત અંતર્ગત નિર્મળ ગુજરાત એવોર્ડ વિતરણ સમારોહમાં વડોદરાને ૧૦ લાખથી વધુ વસ્તી ધરાવતી મહાનગરપાલિકાની કેટેગરીમાં દ્વિતીય સ્થાનનો ૧ કરોડનો ચેક એનાયત કરાયો હતો.
ભારત સરકાર દ્વારા સ્વચ્છ ભારત મિશન-અર્બન અંતર્ગત સ્વચ્છ સર્વેક્ષણ-૨૦૨૪માં ૪૫૮૯ શહેરોનો સર્વે હાથ ધર્યો હતો. જેની થીમ ”રીડયુસ, રી-યુઝ, રી-સાયકલ” હતી. વડોદરા કોર્પો.ને ૧૦ લાખથી વધુની વસ્તી ધરાવતા શહેરોની કેટેગરીમાં ૧૮મો રેન્ક મળેલ હતો. જ્યારે વડોદરા શહેરને પ્રોમિસિંગ સ્વચ્છ શહેર-ગુજરાતનો એવોર્ડ મળ્યો હતો.
આજરોજ ગાંધીનગર ખાતે ગુજરાતની કોર્પોરેશનો તથા નગરપાલિકાઓની આગામી સ્વચ્છ સર્વેક્ષણ અંગે યોજાયેલી ચિંતન શિબિરમાં સ્વચ્છ સર્વેક્ષણ-૨૦૨૪માં સારૃં પરિણામ મેળવનાર કોર્પોરેશનોને સન્માનિત કરાઇ હતી. આ સમારોહમાં સુરત અને અમદાવાદ શહેરને પ્રથમ નંબરનો એવોર્ડ તથા ૧.૫૦ કરોડનો ચેક એનાયત કરાયો હતો.










