![]()
India-Japan Chandrayaan 5 Mission : અવકાશના ક્ષેત્રમાં ભારત અને જાપાન વચ્ચેની મિત્રતા વધુ મજબૂત બની રહી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તાજેતરમાં ટોક્યોમાં એક મહત્ત્વપૂર્ણ જાહેરાત કરી છે કે, ભારતની અવકાશ સંશોધન સંસ્થા ISRO અને જાપાનની એરોસ્પેસ એક્સપ્લોરેશન એજન્સી JAXA સંયુક્ત રીતે ચંદ્રયાન-5 મિશન પર કામ કરશે.
ભારત-જાપાનનું લૂનર પોલર એક્સપ્લોરેશન મિશન
આ મિશનનું નામ લૂનર પોલર એક્સપ્લોરેશન (LUPEX) છે, જે વર્ષ 2027-28માં લોન્ચ થવાની સંભાવના છે. આ મિશનમાં જાપાનના H3 રોકેટનો ઉપયોગ થશે. તેનો મુખ્ય ઉદ્દેશ્ય ચંદ્રના દક્ષિણ ધ્રુવીય ક્ષેત્રની ઊંડાણપૂર્વક શોધખોળ કરવાનો છે.
ભારત-જાપાન વચ્ચે 10 વર્ષનો રોડમેપ તૈયાર
વડાપ્રધાન મોદીએ આ ભાગીદારીને આવકારતા કહ્યું કે, મિશનમાં બંને દેશની સક્રિય ભાગીદારી પૃથ્વીની સીમાઓથી આગળ વધીને માનવજાતિની પ્રગતિનું પ્રતીક બનશે. બંને દેશોએ આગામી દસ વર્ષ માટે સહયોગનો રોડમેપ તૈયાર કર્યો છે. આ ભાગીદારીએ એક નવા અને સુવર્ણ અધ્યાયનો મજબૂત પાયો નાખ્યો છે.
આ પણ વાંચો : ત્રણ દેશો ટૂંક સમયમાં ટ્રમ્પનું વધારશે ટેન્શન ! PM મોદીની જિનપિંગ-પુતિન સાથે ખાસ મીટીંગનો પ્લાન તૈયાર
ચંદ્રયાન-5 મિશનનો મુખ્ય ઉદ્દેશ્ય
આ સંયુક્ત મિશનનો સૌથી મોટો ઉદ્દેશ્ય ચંદ્રના દક્ષિણ ધ્રુવીય ક્ષેત્રમાં સંભવિત પાણીની બરફની શોધ અને તેનું વિશ્લેષણ કરવાનો છે. વૈજ્ઞાનિકો માટે આ ક્ષેત્ર ખાસ મહત્વ ધરાવે છે કારણ કે અહીં પાણીની હાજરી ભવિષ્યના માનવ મિશનો માટે એક અગત્યનો સ્ત્રોત બની શકે છે. આ મિશનમાં JAXA દ્વારા વિકસિત રોવર અને ISRO દ્વારા બનાવવામાં આવેલો લેન્ડર સામેલ હશે, જેઓ મળીને ચંદ્રની સપાટીનો ઊંડાણપૂર્વક અભ્યાસ કરશે.
આ પણ વાંચો : રશિયાના ભયાનક હુમલામાં કીવ ધણધણ્યું, 22 લોકોના મોત, ઝેલેન્સ્કીએ પુતિન પર સાધ્યું નિશાન










