![]()
Jamnagar : જામનગર જિલ્લાના જામજોધપુરમાં ગાધેશ્વર મંદિર નજીક વાડી વિસ્તારમાં રહેતા અને ખેતી કામ કરતા અરવિંદભાઈ કાનાભાઈ સુરેલા નામના 50 વર્ષના યુવાને પોતાની વાડીમાં પાકમાં છાંટવાની જંતુનાશક દવા પી લેતાં તેને સારવાર માટે જામજોધપુરની સરકારી હોસ્પિટલમાં ખસેડાયો હતો, ત્યાં સારવાર દરમિયાન તેનું મૃત્યુ નીપજ્યું છે.
આ બનાવવા અંગે મૃતકના પુત્ર મનીષ અરવિંદભાઈ સુરેલાએ પોલીસને જાણ કરતાં જામજોધપુરના પોલીસનો કાફલો સરકારી હોસ્પિટલમાં દોડી ગયો હતો અને મૃતદેહનો કબજો સંભાળી વધુ તપાસ હાથ ધરી છે. પોલીસ પૂછપરછ દરમિયાન મૃતક ખેડૂત કે જે પોતે છેલ્લા કેટલાક સમયથી મોઢાના કેન્સરની બીમારીથી પીડાતા હતા, અને તેની અમદાવાદની હોસ્પિટલમાં સારવાર ચાલતી હતી. જે બીમારીથી કંટાળી જઈ તેણે આ પગલું ભરી લીધું હોવાનું જાહેર થયું છે. જામજોધપુરના પોલીસ દ્વારા સમગ્ર મામલાની વધુ તપાસ ચલાવવામાં આવી રહી છે.










