![]()
દરજીપુરા આરટીઓ કચેરીમાં આજે ઈન્ટરનેટ કનેક્ટિવિટી ખોરવાતા ટુવ્હીલર અરજદારોને ધક્કો પડ્યો હતો.
સવારે નિયમિત ડ્રાઈવિંગ ટેસ્ટ શરૂ થયા હતા અને બપોર સુધીમાં ૧૩૦ જેટલા ટુ વ્હીલર અને ફોર વ્હીલર વાહનોના ટેસ્ટ થયા હતા. બપોર બાદ અચાનક ઈન્ટરનેટ કનેક્ટિવિટી ડિસ્કનેક્ટ થતાં ટુ-વ્હીલર વાહનોના આશરે ૩૦ ડ્રાઈવિંગ ટેસ્ટ થઈ શક્યા ન હતા. જેથી ટુ-વ્હીલર ટેસ્ટ આપવા પહોંચેલા અરજદારોને ધક્કો ખાવાનો વખત આવ્યો હતો. કેટલાક અરજદારો આસપાસના ગામડાંઓમાંથી ડ્રાઈવિંગ ટેસ્ટ માટે આવ્યા હતા. પાદરાના અરજદારનું કહેવું હતું કે, મારી ટેસ્ટ ડ્રાઈવની એપોઈન્ટમેન્ટ બપોરે હતી, પરંતુ સ્ટાફે જણાવ્યું કે સિસ્ટમ બંધ છે અને આવતીકાલે આવવું પડશે. જો કે, આરટીઓ અધિકારીએ જણાવ્યું હતું કે, ઈન્ટરનેટ ડિસ્કનેક્ટ થવાથી ફોર-વ્હીલર ટેસ્ટની પ્રક્રિયા પર કોઈ અસર થઈ નથી, પરંતુ ટુ-વ્હીલર ડ્રાઈવિંગ ટેસ્ટ સ્થગિત કરવા પડ્યા હતા. અરજદારો આવતીકાલે અથવા શિનવાર સુધી તેમની અનુકૂળતા મુજબ ટેસ્ટ આપી શકશે. આ ઉપરાંત દિવાળી પર્વને કારણે તા. ૧૯ થી ૨૬ ઓક્ટોબર સુધી આરટીઓ કચેરીમાં રજા જાહેર કરવામાં આવી છે.










