gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

નરેન્દ્ર મોદીના હસ્તે અભિજિત મૂહુર્તમાં ‘રામમંદિર ધ્વજા આરોહણ’ | ‘Ram temple flag hoisting’ at Abhij…

G METRO NEWS by G METRO NEWS
November 26, 2025
in INDIA
0 0
0
નરેન્દ્ર મોદીના હસ્તે અભિજિત મૂહુર્તમાં ‘રામમંદિર ધ્વજા આરોહણ’ | ‘Ram temple flag hoisting’ at Abhij…
0
VIEWS
Share on FacebookShare on Twitter



– દેશમાં રામ મંદિરની સ્થાપનાના 500 વર્ષના યજ્ઞાની આખરે પૂર્ણાહૂતિ : મોદી

– રામચરિત માનસની પંક્તિ ‘નહીં દરિદ્ર, કાઉ દુખી ના દિના’ ટાંકતા મોદીએ કહ્યું વિકસિત ભારતમાં કોઈ દુઃખી, દરિદ્ર નહીં હોય

– દેશમાં રામ મંદિરની સ્થાપના સરળ પરંતુ મેકોલેની ગુલામીની માનસિક્તામાંથી ભારતને છોડાવવો મુશ્કેલ

– ભગવાન રામ ભેદથી નહીં ભાવથી જોડાય છે, ૧૧ વર્ષમાં મહિલા, દલિતો, પછાતો, વંચિતોના વિકાસ પર ધ્યાન અપાયું : પીએમ

અયોધ્યા: અયોધ્યામાં ભવ્ય રામ મંદિરમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મંગળવારે સવારે વૈદિક મંત્રોચ્ચાર વચ્ચે ૧૧.૫૫ કલાકના અભિજિત મૂહુર્તમાં ભવ્ય રામ મંદિરના ૧૬૧ ફૂટ ઊંચા શિખર પર ભગવા ધર્મ ધ્વજા સ્થાપિત કરી હતી. રામમંદિરના ધ્વજારોહણ સમારંભને મંદિરના નિર્માણની પૂર્ણતા અને સાંસ્કૃતિક ગૌરવનું પ્રતિ માનવામાં આવે છે. આ સમયે પીએમ મોદીએ જણાવ્યું કે, રામ મંદિર પર ધર્મ ધ્વજાની સ્થાપના સાથે આજે એ યજ્ઞાની પૂર્ણાહૂતિ થઈ છે, જે ૫૦૦ વર્ષ સુધી પ્રજ્વલિત રહ્યો. સદીઓના ઘા હવે પૂરાઈ રહ્યા છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મંગળવારે સવારે શ્રી રામ જન્મભૂમિ મંદિરમાં વિવાહ પંચમીના દિવસે ઐતિહાસિક ધ્વજારોહણ સમારંભ પહેલાં શેષાવતાર મંદિર અને સપ્તઋષિ મંદિરોમાં પૂજા-અર્ચના કરી હતી. ત્યાર પછી ભવ્ય રામ મંદિરમાં પીએમ મોદી અને રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના પ્રમુખ મોહન ભાગવતે રામ લલા અને દરબાર ગર્ભ ગૃહમાં ભગવાન રામની પૂજા-આરતી કર્યા હતા. 

મંદિરમાં પૂજા-અર્ચના પછી પીએમ મોદી અને સંઘના વડા મોહન ભાગવતે અભિજિત મૂહુર્ત ૧૧.૫૫ કલાકે મંદિરના ૧૬૧ ફૂટ ઊંચા શિખર પર ૪૨ ફૂટ લાંબા ધ્વજદંડ પર ત્રણ કિલો વજનની ૨૨ ફૂટ લાંબી અને ૧૧ ફૂટ પહોળી ધર્મ ધ્વજા સ્થાપિત કરી હતી. ધ્વજ પર કોવિદાર વૃક્ષ, સૂર્યવંશના રાજાઓના પ્રતીક સમાન સૂર્ય અને ઓમકારને અંકિત કરવામાં આવ્યા છે.

ભવ્ય રામ મંદિરનો ધ્વજારોહણ કાર્યક્રમ રામ મંદિરના નિર્માણનું કાર્ય પૂરું થયું હોવાનું પ્રતીક છે. આ કાર્યક્રમમાં ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ, રાજ્યપાલ આનંદીબેન પટેલ સહિત ૭૦૦૦થી વધુ મહેમાનો હાજર હતા.

મંદિર પર ધર્મધ્વજા સ્થાપિત કર્યા પછી વડાપ્રધાન મોદીએ જણાવ્યું હતું કે, આપણે બધા જાણીએ છીએ કે રામ ભેદથી નહીં ભાવથી જોડાય છે. તેમના માટે વ્યક્તિનું કૂળ નહીં, તેમની ભક્તિ મહત્વપૂર્ણ છે. તેમને શક્તિ નહીં સહયોગ મહાન લાગે છે. આજે અમે પણ આ જ ભાવનાથી આગળ વધીએ છીએ. છેલ્લ ૧૧ વર્ષમાં મહિલા, દલિત, પછાત, અતિ-પછાત, આદિવાસી, વંચિત, ખેડૂત, શ્રમિક અને યુવાન દરેક વર્ગને વિકાસના કેન્દ્રમાં રખાયો છે.

તેમણે ઉમેર્યું કે, દેશની દરેક વ્યક્તિ દરેક વર્ગ, દરેક ક્ષેત્ર સશક્ત હશે ત્યારે સંકલ્પ સિદ્ધિમાં બધાનો પ્રયાસ લાગશે અને બધાના પ્રયાસથી જ દેશ ૨૦૪૭માં આઝાદીના ૧૦૦ વર્ષની ઊજવણી કરશે ત્યાં સુધીમાં આપણે વિકસિત ભારતનું નિર્માણ કરવાનું છે. તેમણે રામચરિત માનસની પંક્તનો ઉલ્લેખ કરતા કહ્યું, નહીં દરિદ્ર, કોઉ દુખી ના દીના. આ સંદેશો બતાવે છે કે વિકસિત ભારતની સંકલ્પનામાં કોઈ પણ દુખી અને દરિદ્ર ના રહેવો જોઈએ. આપણે આગામી ૧,૦૦૦ વર્ષ માટે ભારતનો પાયો મજબૂત કરવાનો છે, જે માત્ર વર્તમાનનું વિચારે છે તે આગામી પેઢીઓ સાથે અન્યયા કરે છે.

તેમણે ઉમેર્યુ ંકે, ભારતમાં લોર્ડ મેકોલેએ ગુલામીની માનસિક્તાનો પાયો નાંખ્યો હતો. ૨૦૩૫માં એ ઘટનાના ૨૦૦ વર્ષ પૂરા થઈ રહ્યા છે. અમે આ દેશને ગુલામીની માનસિક્તામાંથી મુક્ત કરીને રહીશું. આ દેશનું દુર્ભાગ્ય છે કે આઝાદી પછી પણ મેકોલેની માનસિક્તા અને હીન ભાવનાથી મુક્તિ નથી મળી. રામ મંદિર બનાવવાનું સરળ છે, પરંતુ મેકોલેની માનસિક્તામાંથી મુક્તિ મુશ્કેલ છે. આપણે આ માનસિક્તામંથી મુક્તિ મેળવવાની છે. એ બાબત પણ ગુલામીની માનસિક્તા છે કે દેશમાં એક વર્ગને ભગવાન રામને નકારી કાઢ્યા છે. ત્રેતા યુગની અયોધ્યાએ દુનિયાને નીતિ આપી અને ૨૧મી સદીની અયોધ્યા દુનિયાને વિકાસનું મોડેલ આપશે.

– અયોધ્યામાં રામ મંદિર : 6 ડિસે. 1992થી 25 નવેમ્બર 2025

અયોધ્યા: ભગવાન રામની નગરી અયોધ્યામાં ભવ્ય રામ મંદિરના નિર્માણનો ૫૦૦ વર્ષનો સંઘર્ષ અંતે મંગળવારે પૂરો થયો છે. અયોધ્યામાં રામ મંદિર અંગે સેંકડો વર્ષોનો વિવાદ વર્ષ ૨૦૧૯માં પૂરો થઈ ગયો હતો, પરંતુ સંપૂર્ણ અને ભવ્ય રામ મંદિરના નિર્માણનું કરોડો રામભક્તોનું સપનું મંગળવારે પૂરું થયું હતું. વર્ષ ૧૯૯૨ની ૬ ડિસેમ્બરે કારસેવકોએ બાબરી માળખાનો ધ્વંસ કર્યો હતો અને રામ મંદિર પરિસરમાં પહેલી વખત ભગવા ધ્વજ લહેરાવ્યો હતો. જોકે, મંદિર-મસ્જિદના વિવાદ મુદ્દે ૯ નવેમ્બર ૨૦૧૯ના રોજ સુપ્રીમ કોર્ટે શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટની તરફેણમાં ચૂકાદો સંભાળવતા રામ મંદિરની સ્થાપનાનો માર્ગ મોકળો થયો હતો. ત્યાર પછી ૫ ઑગસ્ટ ૨૦૨૦ના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રામ મંદિરનો શિલાન્યાસ કર્યો હતો. આ સાથે રામ મંદિરનું નિર્માણ શરૂ કરાયું હતું.  ૨૨ જાન્યુઆરી ૨૦૨૨ના રોજ ગર્ભગૃહમાં ભગવાન રામના બાળ સ્વરૂપ ‘રામલલ્લા’ની પ્રાણ પ્રતિષ્ઠા કરાઈ હતી. જોકે, રામ મંદિરમાં અન્ય મંદિરો અને સીતા રસોઈ સહિતના સ્થળોનું નિર્માણ કાર્ય ચાલુ હતું. ૧૪ જૂન, ૨૦૨૫ના રોજ પહેલા માળ પર ભક્તો માટે રામ દરબાર ખુલ્લો મુકાયો હતો. અંતે ૨૫ નવેમ્બર ૨૦૨૫ના રોજ રામ મંદિરના શિખર પર ધર્મ ધ્વજાની સ્થાપના સાથે રામ મંદિરના નિર્માણનું કાર્ય પૂરું થયું છે.

– રામ મંદિર પર ધ્વજારોહણનું મહત્વ

અયોધ્યા: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મંગળવારે અયોધ્યામાં ભવ્ય શ્રી રામ મંદિરના ભવ્ય શિખર પર ધર્મધ્વજા ફરકાવી હતી. હિન્દુ ધર્મમાં મંદિર પર ધ્વજા ફરકાવવાની પરંપરા ખૂબ જ પ્રાચીન અને મહત્વપૂર્ણ છે. ગરુડ પુરાણ મુજબ મંદિરો પર ફરકાવાતો ધ્વજ દેવતાઓની હાજરી દર્શાવે છે અને જે દિશામા તે લહેરાય છે તે સંપૂર્ણ ક્ષેત્ર પવિત્ર માનવામાં આવે છે. શાસ્ત્રોમાં મંદિરના શિખરને ધ્વજ દેવતાના મહિમા, શક્તિ અને સંરક્ષણનું પ્રતીક ગણાવાઈ છે. વાલ્મીકિ રામાયણ અને રામચરિત માનસસમાં પણ ધ્વજ, પતાકા અને તોરણોનું વર્ણન કરાયું છે. 

– રામ મંદિર માટે બલિદાન આપનારા લોકોના આત્માને શાંતિ મળી : ભાગવત

– અશોક સિંઘલ, રામચંદ્ર પરમહંસ, વિષ્ણુ હરિ દાલમિયાના આત્માને સંતોષ મળ્યો હશે : ભાગવત

અયોધ્યા: ભગવાન રામની નગરી અયોધ્યામાં ભવ્ય રામ મંદિરમાં મંગળવારે ધ્વજારોહણ સમારંભમાં રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (આરએસએસ)ના સરસંઘચાલક મોહન ભાગવતે કહ્યું કે, ધ્વજારોહણ સાથે રામ મંદિરનું નિર્માણ સંપૂર્ણ થયું છે. તેનાથી એવા લોકોના આત્માને શાંતિ મળી હશે, જેમણે તેના માટે સંઘર્ષ કર્યો અને પોતાનું બલિદાન આપ્યું. આ ધર્મ ધ્વજ એ છે જે રામરાજ્યમાં લહેરાયો હતો.

આરએસએસના વડા મોહન ભાગવતે કહ્યું કે, વિશ્વ હિન્દુ પરિષદના સંરક્ષક રહેલા અશોક સિંઘલ, મહંત રામચંદ્ર દાસ પરમહંસ તથા વિષ્ણુ હરિ દાલમિયા જેવા લોકોએ રામ મંદિરનું સપનું પોતાના જીવનમાં સાકાર થતું જોઈ શક્યા નહીં. તેમના આત્માને હવે સંતોષ મળ્યો હશે. આપણે હવે એવા સમાજનું નિર્માણ કરવાનું છે, જેમાં સમરસતા હોય અને દેશ સમૃદ્ધિના શિખર પર પહોંચે. હિન્દુ સમાજે સતત ૫૦૦ વર્ષ અને પછી લાંબા આંદોલન પછી સાબિત કર્યું કે, નિરંતરતા હોય તો બધું જ હાંસલ કરી શકાય છે. તેમણે ભારપૂર્વક કહ્યું કે, આપણે હવે વસુધૈવ કુટુંબકમની ભાવનાને અપનાવવી જોઈએ, જે ભારતીય સભ્યતાનું પ્રાણ તત્વ છે. રામનો માર્ગ દરેક વ્યક્તિ, દરેક વર્ગને પોતાની સાથે લેવાથી જ સફળ થઈ શકે છે.



G METRO NEWS

G METRO NEWS

Related Posts

તેલંગાણામાં પંજો મજબૂત ! સ્થાનિક ચૂંટણીમાં કોંગ્રેસને લીડ, ભાજપને ઝટકો; BRS બીજા નંબરે | Telangana L…
INDIA

તેલંગાણામાં પંજો મજબૂત ! સ્થાનિક ચૂંટણીમાં કોંગ્રેસને લીડ, ભાજપને ઝટકો; BRS બીજા નંબરે | Telangana L…

February 13, 2026
‘સ્વતંત્ર ભારતની સ્વતંત્ર ઓળખ, નામ નહીં પણ વિચાર બદલવા જરૂરી’, વડાપ્રધાન મોદીનું નિવેદન | pm modi st…
INDIA

‘સ્વતંત્ર ભારતની સ્વતંત્ર ઓળખ, નામ નહીં પણ વિચાર બદલવા જરૂરી’, વડાપ્રધાન મોદીનું નિવેદન | pm modi st…

February 13, 2026
રાહુલ ગાંધી અમેરિકા સાથે થયેલી ટ્રેડ ડીલના વિરોધમાં કરશે મોટું આંદોલન? ખેડૂત સંઘના નેતા સાથે કરી અચા…
INDIA

રાહુલ ગાંધી અમેરિકા સાથે થયેલી ટ્રેડ ડીલના વિરોધમાં કરશે મોટું આંદોલન? ખેડૂત સંઘના નેતા સાથે કરી અચા…

February 13, 2026
Next Post
આગના પગલે અફરાતફરી મચી , ઘીકાંટા પંચભાઈની પોળ પાસે રેડીમેઈડ ગાર્મેન્ટની દુકાનમાં આગ | The fire cause…

આગના પગલે અફરાતફરી મચી , ઘીકાંટા પંચભાઈની પોળ પાસે રેડીમેઈડ ગાર્મેન્ટની દુકાનમાં આગ | The fire cause...

ઠંડીના આગમન અને પ્રદૂષિત હવાના કારણે AMC ની હોસ્પિટલમાં વાઈરલ ફીવરના રોજ નોંધાતા એક હજાર કેસ | Due t…

ઠંડીના આગમન અને પ્રદૂષિત હવાના કારણે AMC ની હોસ્પિટલમાં વાઈરલ ફીવરના રોજ નોંધાતા એક હજાર કેસ | Due t...

સેન્સેકસ 313 પોઈન્ટ ઘટી 84587 | Sensex falls 313 points to 84587

સેન્સેકસ 313 પોઈન્ટ ઘટી 84587 | Sensex falls 313 points to 84587

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

BIG NEWS: PM મોદીએ આદમપુર એરબેઝ પર સેનાના જવાનો સાથે કરી મુલાકાત | operation sindoor prime minister …

BIG NEWS: PM મોદીએ આદમપુર એરબેઝ પર સેનાના જવાનો સાથે કરી મુલાકાત | operation sindoor prime minister …

9 months ago
નવેમ્બરમાં ઈક્વિટી ફંડોના ઈન્ફલોમાં 21 ટકાનો વધારો | Equity fund inflows rise by 21% in November

નવેમ્બરમાં ઈક્વિટી ફંડોના ઈન્ફલોમાં 21 ટકાનો વધારો | Equity fund inflows rise by 21% in November

2 months ago
દેશની જાણીતી બેન્કના શેર્સમાં કડાકાની શક્યતા, રૂ. 1960 કરોડના ફ્રોડ કેસમાં ફરી તપાસ | IndusInd Bank …

દેશની જાણીતી બેન્કના શેર્સમાં કડાકાની શક્યતા, રૂ. 1960 કરોડના ફ્રોડ કેસમાં ફરી તપાસ | IndusInd Bank …

2 months ago
જયપુરમાં મોટી દુર્ઘટના, સવાઈ માન સિંહ હોસ્પિટલમાં ભીષણ આગ, 6 દર્દીઓના દાઝી જતાં મોત

જયપુરમાં મોટી દુર્ઘટના, સવાઈ માન સિંહ હોસ્પિટલમાં ભીષણ આગ, 6 દર્દીઓના દાઝી જતાં મોત

4 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

Follow Us

Recommended

BIG NEWS: PM મોદીએ આદમપુર એરબેઝ પર સેનાના જવાનો સાથે કરી મુલાકાત | operation sindoor prime minister …

BIG NEWS: PM મોદીએ આદમપુર એરબેઝ પર સેનાના જવાનો સાથે કરી મુલાકાત | operation sindoor prime minister …

9 months ago
નવેમ્બરમાં ઈક્વિટી ફંડોના ઈન્ફલોમાં 21 ટકાનો વધારો | Equity fund inflows rise by 21% in November

નવેમ્બરમાં ઈક્વિટી ફંડોના ઈન્ફલોમાં 21 ટકાનો વધારો | Equity fund inflows rise by 21% in November

2 months ago
દેશની જાણીતી બેન્કના શેર્સમાં કડાકાની શક્યતા, રૂ. 1960 કરોડના ફ્રોડ કેસમાં ફરી તપાસ | IndusInd Bank …

દેશની જાણીતી બેન્કના શેર્સમાં કડાકાની શક્યતા, રૂ. 1960 કરોડના ફ્રોડ કેસમાં ફરી તપાસ | IndusInd Bank …

2 months ago
જયપુરમાં મોટી દુર્ઘટના, સવાઈ માન સિંહ હોસ્પિટલમાં ભીષણ આગ, 6 દર્દીઓના દાઝી જતાં મોત

જયપુરમાં મોટી દુર્ઘટના, સવાઈ માન સિંહ હોસ્પિટલમાં ભીષણ આગ, 6 દર્દીઓના દાઝી જતાં મોત

4 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..
  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News