![]()
વડોદરાઃ નવરાત્રી દરમિયાન સગીરાનો પીછો કરી બળાત્કાર ગુજારનારને ગોરવા પોલીસે ઝડપી પાડયો છે.
૧૪ વર્ષની સગીરાએ કરણસિંહ નામનો યુવક વર્ષ-૨૦૨૩ની નવરાત્રી દરમિયાન તેનો પીછો કરી પજવણી કર્યા બાદ છેડછાડ કરી હોવાની તેમજ ત્યારબાદ વર્ષ-૨૦૨૪માં પણ આવી જ રીતે હેરાન કરીને જુદીજુદી જગ્યાએ જબરદસ્તી શારીરિક સબંધ બાંધ્યા હોવાની પરિવારજનો સમક્ષ કેફિયત વર્ણવતાં ગોરવાના પોઇ કિરિટ લાઠિયાએ દોઢ મહિના પહેલાં ફરિયાદ નોંધી હતી.
પોલીસે આ ગુનામાં ફરાર આરોપી કરણસિંહ નરેન્દ્રસિંહ સોલંકી(ઓધવપુરા ગામ,વહાણવટી માતાના મંદિર પાસે,ગોરવા) ની ધરપકડ કરી છે.










