![]()
કાઠમાંડુ,મુંબઇ : નેપાળમાં થયેલી હિંસામાં, સિંહ દરબાર, સુપ્રીમ કોર્ટ, રાષ્ટ્રપતિ નિવાસસ્થાન, સહિત ડઝનબંધ સરકારી અને ખાનગી ઇમારતોને આગ લગાવી દેવામાં આવી હતી તો બીજી તરફ અનેક બેંકો, કોર્પોરેટ હાઉસોમાં પણ તોડફોડ કરવામાં આવી હતી. એવો અંદાજ છે કે નેપાળને આના કારણે અબજો રૂપિયાની સંપત્તિનું નુકસાન થયું છે. નેપાળ ખાતે ચાલી રહેલી રાજકીય અશાંતિને પરિણામે ભારતની ફાસ્ટ મુવિંગ કન્ઝયૂમર ગુડસ (એફએમસીજી) કંપનીઓના નેપાળ ખાતેના ઉત્પાદન એકમોમાં કામકાજ ખોરવાઈ ગયાના અહેવાલો આવી રહ્યા છે.
નેપાળ વીમા સંગઠન અનુસાર, વીમા કંપનીઓને ૩૧ અબજ ભારતીય રૂપિયાથી વધુના દાવાનો સામનો કરવો પડી શકે છે. આ નુકસાન ૨૦૧૫ના ભૂકંપ કરતા ત્રણ ગણું વધુ છે.
વીમા કંપનીઓ અને બેંકરો માને છે કે આ નેપાળ માટે સૌથી ખરાબ તબક્કો છે. નેપાળ વીમા સંગઠન અને નેપાળ રાષ્ટ્ર બેંક સંયુક્ત રીતે નુકસાનની માહિતી એકત્રિત કરી રહ્યા છે.
નેપાળમાં, વીમા કંપનીઓએ નાણાકીય વર્ષ ૨૦૨૪/૨૫ માં ૨૬ અબજ રૂપિયાનું પ્રીમિયમ એકત્રિત કર્યું હતું અને ૧૧ અબજ રૂપિયાના દાવા ચૂકવ્યા હતા. વર્તમાન પરિસ્થિતિમાં, વીમા કંપનીઓને ડર છે કે તેઓ વધુ મોટું નાણાકીય નુકસાન ભોગવી શકે છે.’ નેપાળ ખાતે ચાલી રહેલી રાજકીય અશાંતિને પરિણામે ભારતની ફાસ્ટ મુવિંગ કન્ઝયૂમર ગુડસ (એફએમસીજી) કંપનીઓના નેપાળ ખાતેના ઉત્પાદન એકમોમાં કામકાજ ખોરવાઈ ગયાના અહેવાલો આવી રહ્યા છે. કંપનીઓએ કામકાજ અટકાવી દેવા અથવા તેમાં ઘટાડો કરવાની ફરજ પડી છે.
દેશની એક ખાનગી કંપનીના બિરગંજ ખાતે આવેલા એકમમાં ઉત્પાદન ખોરવાઈ ગયું છે અને કામદારોની હાજરી પણ જોવા મળતી નથી. જે કર્મચારીઓ ઘરેથી કામ કરી શકે છે, તેમને ઘરેથી કામ કરવા સૂચના અપાઈ હોવાનું કંપનીના સુત્રોએ જણાવ્યું હતું.
નેપાળમાં આકાર લઈ રહેલા ઘટનાક્રમો પર દેશની સરકાર તથા ઉદ્યોગોની નજર રહેલી છે. ઉદ્યોગો પર અસર ન પડે માટે સ્થાનિક સત્તાવાળાઓને યોગ્ય પગલાં હાથ ધરવા સૂચન કરવામાં આવી રહ્યા છે.
ભારતની અન્ય એક એફએમસીજી કંપનીના હેતાઉદા ખાતે કાર્યરત પ્લાન્ટને હાલમાં સંપૂર્ણ રીતે બંધ કરી દેવાયો હોવાનું કંપનીના સ્થાનિક પ્રવકતાએ જણાવ્યું હતું.
રાજકીય અશાંતિને કારણે નેપાળના મોટાભાગના શહેરોમાં સામાન્ય જનજીવન તથા વેપાર કામકાજ ખોરવાઈ ગયા છે. આ ખલેલ લાંબા સમય ચાલશે તો, વેચાણ વોલ્યુમ પર અસર પડવાની શકયતા નકારાતી નથી.
નેપાળ ભારતની એકદમ નજીક હોવાથી ભારત માટે તે એક સાનુકૂળ બજાર બની રહી છે.










