![]()
અમદાવાદ, શુક્રવાર
ગૃહકલેશના કારણેદાણીલીમડાની મહિલાનો લગ્નના ૧૮ વર્ષ બાદ સુખી સંસાર પડી ભાંગ્યો હોવાનો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. જેમાં પતિને અન્ય સ્ત્રી સાથે આડા સંબંધની જાણ થતાં પતિએ તુ અહીથી પિયરમાં જતી રહી મારે જોઇતી નથી કહીને માર મારીને પહેરે કપડે કાઢી મૂકી હતી. આ બનાવ અંગે દાણીલીમડા પોલીસે પતિ સહિત ચાર લોકો સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
દાણીલીમડાની મહિલા સાથે લગ્નના બે વર્ષ સારુ રાખ્યું મારમારી પહેરે કપડે કાઢી મૂકતા દસ મહિનાથી પિયરમાં
દાણીલીમડામાં રહેતી ૩૨ વર્ષની મહિલાએ વટવામાં રહેતા પતિ સાથે ૧૮ વર્ષ પહેલા સમાજના રિતી રિવાજ મુજબ લગ્ન કર્યા હતા લગ્નના બે વર્ષ સુધી સારી રીતે રાખતા હતા ત્યારબાદ કામકાજ બાબતે તકરાર કરીને માનસિક તેમજ શારિરીક ત્રાસ આપતા હતા.
મહિલાને તેના પતિને પતિને બીજી સ્ત્રી સાથે આડા સંબંધની જાણ થઇ હતી જેથી એક સમયે ઘરે મોડા આવતા કેમ મોડા આવ્યા ક્યાં ગયા હતા તેમ પૂછતાં પતિ ઉશ્કેરાઇ ગયા હતા અને મારઝૂડ કરીને પતિએ તું અહીથી પિયરમાં જતી રહી મારે જોઇતી નથી કહીને માર મારીને પહેરે કપડે કાઢી મૂકી હતી. મહિલા દસ મહિનાથી પિયરમાં આશરો લઇ રહી છે પતિ તેડવા આવતા ન હોવાથી આખરે તેઓ સામે મહિલાએ ફરિયાદ કરી હતી.આ ઘટના અંગે દાણીલીમડા પોલીસે પતિ સહિત પરિવારના ચાર લોકો સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.










