
વડોદરા નજીક આવેલા આજોડ ગામમાં કોટવાલ ફળિયામાં રહેતા દિનેશ મંગળદાસ પરમાર ઉંમર વર્ષ 30 ખેતી કામ કરતા હતા તારીખ 24 સપ્ટેમ્બરના રોજ રાત્રે 8:00 વાગે તેઓ ઘેર આવ્યા ત્યારે પત્નીએ જમવાનું બનાવ્યું ન હતું. આ અંગે પત્ની સાથે સામાન્ય બોલાચાલી થઈ હતી. પત્નીએ જમવાનું બનાવવામા મોડું થતા દિનેશને મનમાં લાગી આવ્યું હતું અને ફરીથી ખેતરમાં જતો રહ્યો હતો. ત્યાં પાકમાં નાખવાની ઝેરી દવા ગટગટાવતા તેને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડેલ જ્યાં તેનું મોત નીપજ્યું હતુ.










