![]()
વડોદરા,વડોદરામાં રહીને મજૂરી કામ કરતા બિહારના યુવકે અગમ્ય કારણોસર ગળા ફાંસો ખાઇને આપઘાત કરી લીધો હતો. જે અંગે મકરપુરા પોલીસે તપાસ હાથ ધરી છે.
પોલીસ સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ, મૂળ બિહારનો દાનિશ અસજરભાઇ આલમ હાલમાં મકરપુરા રોડ ઓ.એન.જી.સી.ના ગેટની સામે લક્કી એપાર્ટમેન્ટમાં અન્ય શ્રમજીવીઓ સાથે રહેતો હતો અને કડિયા કામની મજૂરી કરતો હતો. આજે તે કામ પર ગયો નહતો. જ્યારે તેની સાથે રહેતા અન્ય યુવકો કામ પર ગયા હતા. કામ પર જમવા ગયેલા શ્રમજીવીઓ બપોરે જમવા આવ્યા ત્યારે તેઓએ દાનિશને ગળાફાંસો ખાધેલી હાલતમાં જોયો હતો. જેથી, પોલીસને જાણ કરવામાં આવી હતી. મકરપુરા પોલીસ સ્ટેશનના હે.કો.કૃષ્ણકુમારે સ્થળ પર જઇને તપાસ હાથ ધરી હતી. પોલીસને કોઇ અંતિમ ચિઠ્ઠી મળી નથી. પોલીસે તેનો મોબાઇલ ફોન ચેક કરતા જાણવા મળ્યું હતું કે, મૃતકે છેલ્લા તેની પત્ની સાથે ફોન પર વાત કરી હતી.










